માંગરોળ સીટી સર્વે કચેરીના એક માત્ર મેન્ટેનન્સ સર્વેયર મોકરીયાની બદલી કર્યા બાદ તેમની જગ્યાએ પ્રમોશની નિયુક્ત યેલા નવા મેન્ટેનન્સ સર્વેયર કરગઠીયા હાજર ાય તે પહેલાં બદલી પામેલા મોકરીયાની છુટ્ટા કરી દેવાતા છેલ્લા સાત દિવસી જવાબદાર અધિકારી ના અભાવે માંગરોળ સીટી સર્વે કચેરીનો વહીવટ ઠપ્પ ઈ જવા પામ્યો છે અરજદારો રોજે રોજ કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે આ બાબતે માંગરોળ આમ આદમી પાર્ટીના જીલ્લા સેક્રેટરી મહાવીરસિંહ ચુડાસમાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે.
માંગરોળ સીટી સર્વે કચેરીમાં બીનખેતી સહિત કુલ પંદરેક હજાર જેટલા મિલ્કતો નોંધાયેલી છે તેના ટાઈટલ, ફેરફાર નોંધો,અપીલો, માપણી, રેકર્ડ દુરસ્તી, હુકમી નોંધો,કોર્ટ કેશોદની મુદતો સહિતની વિવિધ કામગીરી માટે ત્રણ વોર્ડમાં વહેંચી ત્રણ મેન્ટેનન્સ સર્વેયર નું મહેકમ ફાળવવામાં આવ્યું છે છેલ્લ ા ત્રણેય વર્ષ ઉપરી સ્ટાફની અછત ના કારણે ત્રણ ની જગ્યાએ એક મેન્ટેનન્સ સર્વેયર આખી કચેરીની તમામ કામગીરી સંભાળી રહ્યા છે વેચાણ, હક્ક કમી, વારસાઈ જેવી ફેરફાર નોંધો માટે આવતી રોજીંદી અરજીઓ રોજેરોજ ઓનલાઇન દાખલ કરવાની જગ્યાએ એક માત્ર અધિકારી કચેરીનું ઈન્ડોર આને માપણી, કોર્ટ કેશોદમાં મુદતે હાજર રહેવા સહિતના આઉટડોર કામો માટે બહાર રહેવાને કારણે દરેક નોંધ દાખલ કરવામાં બે માસ જેટલો વિલંબ ઈ રહ્યો છે નિયમ મુજબ આવી નોંધો રોજેરોજ દાખલ કરી તુરંત જ પક્ષકારોને પોસ્ટ મારફતે નોટીસો બજાવી ૩૫ દિવસમા નોંધ સંબંધે નિર્ણય કરવાની કાયદાકીય જોગવાઈ સામે નોંધ દાખલ કરવામાં જ ૬૦ દિવસી વધુનો સમય લાગે છે આવી વિષમ પરિસ્થિતિ વચ્ચે છેલ્લા એક વિકી અત્રેના એક માત્ર મેન્ટેનન્સ સર્વેયર કોઈને ચાર્જની વ્યવસ કર્યા વિના પ્રમોશની નવા નિમાયેલા મેન્ટેનન્સ સર્વેયર હાજર રહ્યા તે પહેલાં જૂનાને રીલીવ કરી દેતા કચેરી નો વહીવટ ઠપ્પ ઈ જવા પામ્યો છે આ બાબતે હેરાન તી માંગરોળ ની જનતા ની વહારે ફરી એક વખત આમ આદમી પાર્ટીના મહાવીરસિંહ ચુડાસમાએ આ બાબતે મુખ્યમંત્રી, સુપ્રિટેન્ડેન્ટ ઓફ લેન્ડ રેકર્ડ, નાયબ નિયામક, જીલ્લા પ્રભારી સચિવ, જીલ્લા પ્રભારી મંત્રી, ધારાસભ્ય કરગઠીયા સહિતનાઓને પત્ર પાઠવી રજૂઆત કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના ગોકુલ નગરમાં વીજ ધાંધિયા
May 08, 2025 12:14 PMઓપરેશન સિંદૂર પછી વધુ એક્શન લેવાશે! ભારતીય વાયુસેનાને છૂટ આપવામાં આવી
May 08, 2025 12:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech