માલદીવ અને ભારત વચ્ચે સંબંધો કથળ્યા છે તેના કારણે માલદીવ્સના લોકોને પણ પરેશાની થઈ રહી છે. તાજેતરમાં એક બીમાર બાળકને સારવાર માટે એર એમ્બ્યુલન્સમાં માલે લઈ જવાની જર હતી, પરંતુ ભારતીય વિમાનનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં ઘણો વિલબં થવાથી બાળકનું મોત થયું હોવાનું કહેવાય છે. આના કારણે મીડિયામાં પણ રોષ છે.
માલદીવ્સ અને ભારતના સંબંધોમાં હાલમાં તણાવ ચાલે છે જેના માટે માલદીવ્સના નવા ચૂંટાયેલા પ્રેસિડન્ટ મોહમ્મદ મોઈઝુની નીતિને જવાબદાર ગણવામાં આવે છે. આ દરમિયાન માલદીવ્સમાં એક ૧૪ વર્ષીય બાળકનું મોત નિપયું છે જેના માટે પ્રેસિડન્ટની જિદ્દ જવાબદાર હોવાનું કહેવાય છે. આ બાળકને ભારતીય વિમાનમાં સારવાર માટે લઈ જવાયું હોત તો તેનો જીવ બચી જવાની શકયતા હતી. પરંતુ પ્રેસિડન્ટે તેની સમયસર મંજૂરી ન આપતા બાળકનું મોત થયું હોવાનું કહેવાય છે અને સ્થાનિક મીડિયામાં આ મામલો ઉછળ્યો છે.
ભારતે માલદીવ્સને ડોર્નિયર વિમાનો આપ્યા છે જેનું ઉત્પાદન હિંદુસ્તાન એરોનોટિકસ લિમિટેડ દ્રારા કરવામાં આવે છે. અત્યાર સુધી માનવીય કામ તથા બચાવકાર્ય માટે આ વિમાનોનો માલદીવ્સમાં છૂટથી ઉપયોગ થયો છે. પરંતુ નવી સરકારને ભારત સામે વાંધો પડો હોવાથી તે આ વિમાનોના ઉપયોગની મંજૂરી આપતી નથી.
આ દરમિયાન માલદીવ્સના એક ટાપુ પર ૧૪ વર્ષના એક બાળકને બ્રેઇન ટુમર અને સ્ટ્રોકની સમસ્યા હોવાથી તેની હાલત નાજુક હતી. તેના પરિવારે આ બાળકને એક ટાપુ પરથી માલદીવ્સની રાજધાની માલે સુધી લઈ જવા માટે એર એમ્બ્યુલન્સ માગી હતી જેના માટે ભારતીય ડોર્નિયર વિમાનનો ઉપયોગ કરવો પડે તેમ હતું.
ગયા બુધવારે બાળકને સ્ટ્રોક આવ્યો હતો અને તેની હાલત નાજુક બની ગઈ હતી. ત્યાર પછી તેના પરિવારે તેને રાજધાની માલે લઈ જવા માટે વિનંતી કરી હતી. જોકે, બે દિવસ સુધી સરકાર તરફથી કોઈ જવાબ આવ્યો ન હતો. ત્યાર પછી યારે સરકારે રિસ્પોન્સ આપ્યો ત્યારે ઘણા મહત્ત્વના કલાકો વીતી ગયા હોવાથી બાળકનું બચવું અશકય બની ગયું હતું. તેના કારણે લોકોમાં નારાજગી ફેલાઈ હતી અને લોકોએ હોસ્પિટલની બહાર દેખાવો કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech