લાલપુરમાં ખનીજ ચોરી બાબતે મામલતદાર કચેરીની મોટી કાર્યવાહી: કેતન ચાવડાની પ્રશંશનીય કામગીરી

  • May 13, 2024 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લાલપુરમાં ખનીજ ચોરી બાબતે મામલતદાર કચેરીની મોટી કાર્યવાહી: કેતન ચાવડાની પ્રશંશનીય કામગીરી

                 લાલપુરમાં ખનીજ ચોરીની ઉઠેલી વ્યાપક ફરિયાદો તથા થયેલી ઉચ્ચ સ્તરીય રજૂઆતોને પગલે ચૂંટણી બાદના જ દિવસે મામલતદાર કચેરી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું તેના ભાગ રૂપે જ આજ બીજા શનિવારની જાહેર રજાના દિવસે પણ મામલતદારશ્રી કેતન ચાવડાના માર્ગદર્શન હેઠળ ના.મામ નિલેશ બાવરિયા, બ્રિજેશ કણસાગરા, ભગીરથસિંહ જાડેજા, હિતેશ પરમાર, ડી. એન. ઝાલા વિગેરે દ્વારા અલગ અલગ ટીમ બનાવી અલગ અલગ સ્થળ પર રેડ કરવામાં આવી હતી 

                આ દરમ્યાન પડાના વિસ્તારમાં મંજૂરી વગરની કુલ બે સાઇટ બાબતે ખાણ ખનીજ વિભાગને એહવાલ કરવામાં આવેલ છે તથા 1 જેસીબી તથા 2 ટ્રક જપ્ત કરી પોલીસને સોંપવામાં આવેલ છે તથા નાશી છુટેલા 4 ટ્રક બાબતે નંબર  નોંધી પોલીસ અધિક્ષકશ્રી, જામનગર ને એહવાલ કરવામાં આવેલ છે
​​​​​​​

                આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ વિસ્તારમાં મંજૂરી વગર બેરોકટોક થઈ રહેલી ખનિજ ચોરી બાબતે મામલતદારશ્રી કેતન ચાવડા દ્વારા પ્રશંશનીય કામગીરી કરવામાં આવેલ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application