ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર પંતનગરના ઘાટકોપર પૂર્વના પોલીસ ગ્રાઉન્ડ પેટ્રોલ પંપ પર એલ્યુમિનિયમનો શેડ ધરાશાયી થતાં 8 લોકોના મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યારે 66 લોકો ઘાયલ થયા હતા.
છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ મુંબઈ, થાણે, પાલઘરમાં વીજળી અને મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. આજે (13 મે) બપોર પછી મુંબઈમાં અચાનક જોરદાર પવન ફૂંકાવા લાગ્યો અને ત્યારબાદ કેટલીક જગ્યાએ વરસાદ પણ જોવા મળ્યો. આ ધૂળના તોફાન અને વરસાદના કારણે ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે. એક અધિકારીએ જણાવ્યું કે પેટ્રોલ પંપ પર લોખંડનું હોર્ડિંગ પડવાથી 8 લોકોના મોત થયા છે અને 66 લોકો ઘાયલ થયા છે.
ઉલ્લેખનીય છે કે ઘટના માટે જવાબદારો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે અને કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ સરકારી ખર્ચે ઘાયલોની સારવાર અને મૃતકોને રૂપિયા 5,00,000નું વળતર આપવાની જાહેરાત કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech