દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચ ખાતે મહશ્રમદાન કાર્યક્રમ કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાની ઉપસ્થિતિમાં યોજાયો

  • October 02, 2023 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આપણી આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખી સ્વચ્છ અને સ્વસ્થ દેશનું નિર્માણ કરીએ - કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા


વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આજરોજ સમગ્ર દેશમાં એક તારીખ, એક કલાક મહાશ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરાની ઉપસ્થિતિમાં શિવરાજપુર બીચ ખાતે જિલ્લા કક્ષાનો મહશ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો.


કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, આજરોજ દેશભરમાં મહાશ્રમદાન કાર્યક્રમ યોજાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક તારીખ, એક કલાક' અન્વયે મહાશ્રમદાન પ્રવૃત્તિઓનું સમગ્ર આયોજન જિલ્લાના આરોગ્ય કેન્દ્રો/આંગણવાડીઓ/શાળાઓ/વિવિધ કચેરીઓના પ્રાંગણ અને આજુબાજુના વિસ્તારો, પ્રવાસન સ્થળો, ગૌશાળાઓ, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થળો સહિતની જગ્યાઓએ કરવામાં આવ્યું છે. આપણી આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખી સ્વચ્છ અને સ્વસ્થ દેશનું નિર્માણ કરીએ.


વધુમાં મંત્રીશ્રીએ લોકોને સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરી હતી. આ તકે જિલ્લા કલેકટરશ્રી અશોક શર્માએ જણાવ્યું હતું કે, આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી અને ઝીરો વેસ્ટને પ્રોત્સાહન મળે તે પ્રકારના ઉમદા ધ્યેય સાથે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આપણે સૌ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈએ અને આપણા જિલ્લાને સ્વચ્છ જિલ્લો બનાવીએ.


આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ. ડી. ધાનાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જાડેજા, દ્વારકા પ્રાંત અધિકારીશ્રી પાર્થ તલસાણીયા, અગ્રણીઓ, અધિકારીઓ અને લોકોએ સહભાગી બની શ્રમદાન કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application