રાજયની ૫,૩૧૯ ગ્રામ પંચાયતો, બે જિલ્લા પંચાયત અને ૭૫ નગરપાલિકાઓમાં ઓકટોબર માસના બીજા સાહમાં ચૂંટણી યોજાઈ તેવી શકયતા છે. સ્થાનિક સ્વરાયની આ તમામ સંસ્થાઓમાં છેલ્લા દોઢેક વર્ષથી ટર્મ પૂરી થઈ જવા છતાં ચૂંટણી ન યોજાતા વહીવટદારનું શાસન છે. હવે આગામી દિવસોમાં ચૂંટણી યોજવાની છે તે પૂર્વે ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ દ્રારા નગરપાલિકાઓમાં રોટેશનની પ્રમુખ પદ માટેની જાહેરાત કરી દેવામાં આવી છે. સરકારી સુત્રોના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લામાં આવતી જેતપુર ધોરાજી ભાયાવદર ઉપલેટા અને ગોંડલ નગરપાલિકામાં પ્રમુખપદની પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે રોટેશન જાહેર કરવામાં આવ્યું છે તેમાં અ વર્ગીની જેતપુર નગરપાલિકામાં પ્રથમ અઢી વર્ષ માટે જનરલ કેટેગરીની મહિલા ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે. પછીના અઢી વર્ષ માટે રોટેશન શેડુલ કાસ્ટ નું નક્કી કરાયુ છે.
ધોરાજીમાં અઢી વર્ષની પ્રથમ ટર્મ માટે ઓબીસી મહિલા અને ત્યાર પછીની અઢી વર્ષની ટર્મ માટે શેડુલ કાસ્ટના ઉમેદવાર નક્કી કરાશે. ભાયાવદરમાં પ્રથમ અઢી વર્ષની ટર્મ માં સામાન્ય કેટેગરીની મહિલા પ્રમુખ બની શકશે અને ત્યાર પછીની અઢી વર્ષની ટર્મ માટે શેડુલ કાસ્ટ અનામત જાહેર કરવામાં આવી છે. ઉપલેટામાં સામાન્ય કેટેગરીની મહિલા માટે પ્રથમ અઢી વર્ષ પ્રમુખ પદ માટે અનામત જાહેર કરવામાં આવ્યા છે અને બીજા અઢી વર્ષ માટે ઓબીસી વર્ગમાંથી પસંદગી કરવામાં આવશે. ગોંડલ નગરપાલિકામાં અત્યારે ભાજપનું શાસન છે અને તેની ટર્મ પૂરી થવામાં હજુ વાર છે. આમ છતાં તેમાં પણ પ્રથમ અઢી વર્ષ માટે ઓબીસી મહિલા અને ત્યાર પછીની અઢી વર્ષની ટર્મ માટે સામાન્ય કેટેગરીના ઉમેદવાર પ્રમુખ પદ માટે જાહેર થશે.જસદણ નગરપાલિકા રાજકોટ જિલ્લાની એકમાત્ર એવી નગરપાલિકા છે કે ત્યાં અઢી વર્ષની પ્રથમ ટર્મ દરમિયાન સામાન્ય કેટેગરીના ઉમેદવાર પ્રમુખ બનશે જો કે આમાં પણ મહિલા કે પુષ કોઈપણ હોઈ શકે. ત્યારે બીજી ટર્મ માટે સામાન્ય કેટેગરીની મહિલા અનામત જાહેર કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેનેડામાં ભારતીય યુવાનની લાચારી...મકાન માલિકે વસ્તુ ઉપાડી કાઢ્યો ઘરની બહાર
October 05, 2024 05:54 PMસંઘર્ષ યુક્રેનનો હોય કે પશ્ચિમ એશિયાનો, તેની અસર થાય છે: જયશંકરે વ્યક્ત કરી ચિંતા
October 05, 2024 05:15 PMવંદે ભારત પર શા માટે થયો પથ્થરમારો? તપાસમાં મોટો ખુલાસો
October 05, 2024 05:08 PMઆપણે આપણી ધીરજ ગુમાવી દીધી છે, પરપ્રાંતિય મજૂરોને રેશન કાર્ડ આપવામાં વિલંબ પર SC ની ફટકાર
October 05, 2024 05:04 PMઆખરે, પાકિસ્તાને એવું શું કર્યું કે તેણે સડકો પર તૈનાત કરવી પડી સેના
October 05, 2024 05:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech