રતન તાતાને ભારત રત્ન આપવાના પ્રસ્તાવને મહારાષ્ટ્ર કેબિનેટની મંજૂરી

  • October 10, 2024 03:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મહારાષ્ટ્ર કેબિનેટની બેઠકમાં રતન તાતાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ અંગે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ બેઠકમાં શોક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસંગે એક ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો, જેમાં કેન્દ્રને વિનંતી કરવામાં આવી હતી કે રતન તાતાને તેમની સિદ્ધિઓ માટે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવે.
રતન તાતાના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર છવાઈ ગઈ છે. સીએમ એકનાથ શિંદેએ રતન તાતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને તેમને દેશ માટે પ્રચારક ગણાવ્યા છે. તાતાના નિધન પર મહારાષ્ટ્રમાં એક દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે. રતન તાતાને શ્રદ્ધાંજલિ રૂપે આ સરકારી અંતિમ સંસ્કાર હશે. આ સમયગાળા દરમિયાન, રાજ્યની સરકારી કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રાખવામાં આવશે, આ સાથે રાજ્યમાં કોઈ મનોરંજન કાર્યક્રમો થશે નહીં. રતન તાતાના અંતિમ સંસ્કાર રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે.

મુંબઇએ પોતાના પિતામહ ગુમાવ્યા: એકનાથ શિંદે
આ પહેલા એકસ પર પોસ્ટ કરીને સીએમ એકનાથ શિંદેએ પણ રતન તાતાના નિધન પર શોક વ્યકત કર્યેા હતો. તેમણે લખ્યું, મુંબઇએ પોતાના પિતામહ ગુમાવ્યા છે. રતન તાતાના નિધનથી મને ખૂબ જ દુ:ખ થયું છે. તાતા ભારતીય બિઝનેસના મહાન વ્યકિતઓમાંના એક હતા. તાતા ગ્રુપ દ્રારા, તેમણે સુનિશ્ચિત કયુ કે ભારતીય ઉધોગને વિશ્વમાં નોંધપાત્ર સ્થાન મળે. તેમને તેમના નૈતિકતા માટે યાદ કરવામાં આવ્યા. તેઓ તેમના નેતૃત્વ અને દેશભકિત માટે હંમેશા યાદ રહેશે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application