મદુરાઈ ટ્રેન અકસ્માત: અત્યાર સુધીમાં છ મૃતકોની ઓળખ થઈ, ટ્રાવેલ કંપનીના માલિક સહિત 6 હજુ પણ લાપતા

  • August 26, 2023 09:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તમિલનાડુના મદુરાઈ સ્ટેશન પર ટ્રેન દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓની ઓળખની કામગીરી ચાલી રહી છે. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા હતા, જેમાંથી 6 લોકોની ઓળખ થઈ ગઈ છે અને અન્ય ત્રણની ઓળખ થવાની બાકી છે. ત્યારે ભસીન ટુર-ટ્રાવેલ્સ કંપનીના માલિક હરીશ કુમાર ભસીન સહિત છ લોકો ગુમ છે. જે મૃતકોની ઓળખ થઈ છે તેમાંથી બે લખનૌના અને બે સીતાપુરના છે. એક-એક મૃતક લખીમપુર અને હરદોઈનો છે.


નોંધનીય છે કે તમિલનાડુના મદુરાઈ સ્ટેશન પર પાર્ક કરેલી પુનાલુર-મદુરાઈ એક્સપ્રેસ ટ્રેનના એક ખાનગી કોચમાં શનિવારે સવારે આગ લાગી હતી. મુસાફરો દ્વારા ટ્રેનમાં લઈ જવામાં આવેલા ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાથી આગ લાગી હતી. કોચમાં લાગેલી આગ એટલી ગંભીર હતી કે તેને ઓલવવા માટે ફાયર બ્રિગેડના જવાનોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. અકસ્માત બાદ રેલવેએ મૃતકોના પરિવારજનોને વળતરની જાહેરાત કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application