ધારાસભ્ય ફતેસિંહ વિરપુર જલારામ મંદિરે આવી માફી માગે: અમરેલી જિલ્લા રઘુવીર સેના

  • February 10, 2024 01:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા તાજેતરમાં જ જાહેરમાં જલારામબાપા અને સાંઇબાબા વિરૂધ્ધ અયોગ્ય શબ્દોનો ઉપયોગ કરાતા સમગ્ર રાજ્યમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. ખાસ કરીને રઘુવંશી સહિતના સમાજ માટે આસનું કેન્દ્ર ગણાતા વિરપુરના સંત શિરોમણી જલારામબાપા વિશે વાણી વિલાસ કર્યો હતો. જેને લઇને અમરેલી જિલ્લા  રઘુવંશી સમાજમાં રોષ ભભૂકયો હતો. જિલ્લા  રઘુવિર સેના દ્વારા ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સામે ઠેર ઠેર દેખાવો કરવામાં આવ્યા હતાં અને આક્રોશ સો તંત્રને આવેદન પાઠવવામાં આવ્યું હતું.

જિલ્લા  રઘુવિર સેનાના નવનિયુકત પ્રમુખ વિશાલ સોઢા, ઉપપ્રમુખ પ્રકાશ કારિઆ, પ્રિતેશ માનસેતા, મહેશભાઇ મશરૂ  તેમજ અમદાવાદી પૂર્વ પ્રમુખ મહેશભાઇ નગદિયાએ સંયુકત યાદીમાં જણાવ્યું હતું કે, ફતેસિંહ વિરપુર જલારામબાપાના દર્શન કરી પોતાનું નિવેદન પાછું ખેંચી ગુજરાત લોહાણા સમાજ અને શ્રધ્ધાળુઓની માફી નહીં માગે તો આવતા દિવસોમાં અમરેલી જિલ્લા  રઘુવિર સેના દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમ યોજશે તેવી ચિમકી પણ ઉચ્ચારી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application