સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સતત વિવાદમાં આવી રહ્યા છે, કેટલાક સંતોની લંપટલીલાનો પર્દાફાશ થઈ રહ્યો છે, જેને લઈને હરિભકતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્વામિનારાયણ સાધુઓની લંપટ લીલાઓમાં ચોથી ઘટનામાં ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટીયા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટીયા ગામે આવેલા ગુકુળના સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંતો સહિત કુલ ત્રણ વ્યકિતઓ સામે રાજકોટની એક યુવતીએ નકલી લગ્ન, દુષ્કર્મ અને ગર્ભપાત કરાવ્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ ફરિયાદ બાબતે ઢીલું વલણ રાખતાં આરોપીઓ ફરાર થઇ જવામાં સફળ રહ્યા હતા.
ધર્મસ્વપદાસ સ્વામીએ ફેસબુક મારફત યુવતી સાથે મિત્રતા કેળવી પ્રેમજાળમાં ફસાવી ખોટા લગ્નનું નાટક કરી તેની સાથે અવાર–નવાર ઇચ્છા વિરૂદ્ધ શરીર સંબધં બાંધી યુવતીને સગર્ભા બનાવી હતી. જે બાદ ધર્મસ્વપદાસ સ્વામીએ હોસ્ટેલના સંચાલક મયૂર કાસોદરિયા સાથે પ્રેન્સી કિટ અને ગર્ભપાતની દવા મોકલાવી યુવતીની ઇચ્છા વિદ્ધ ગર્ભપાત કરાવ્યો હતો.
ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંતો સહિત કુલ ત્રણ વ્યકિતઓ સામેઆઈપીસી ૩૭૬ (૨), ૩૧૩, ૧૧૪ અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે. ઉપલેટાના ભાયાવદર પાસે આવેલા ખીરસરા સ્વામિનારાયણ ગુકુળના નારાયણસ્વપદાસ સ્વામી, ધર્મસ્વપદાસ સ્વામી અને મયુર કાસોદરિયા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે જણાવ્યું હતું કે ત્રણેય આરોપીઓ ગુકુળમાંથી ભાગી ગયા છે અને તેમના મોબાઈલ પણ બધં આવે છે
વડતાલના જગતપાવન સામે દુષ્કર્મની ફરિયાદ
વડોદરાના વાડી વિસ્તારમાં આવેલા વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી અને હાલ વડતાલ ખાતે રહેતા સ્વામી જગતપાવનદાસે (જેપી સ્વામી) ૮ વર્ષ અગાઉ (૧૦ સપ્ટેમ્બર ૨૦૧૬) સગીરા પર દુષ્કર્મ આચયુ હતું. આ મામલે વાડી પોલીસ સ્ટેશન ખાતે પોકસો એકટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. જોકે ફરિયાદ નોંધાતા જ આરોપી જગતપાવનદાસ વડતાલથી ફરાર થઈ ગયા છે. વાડી પોલીસ દ્રારા ટીમો બનાવીને આરોપી સ્વામિની શોધખોળ શ કરી છે
વડતાલના સ્વામી સત્યસ્વરૂપનું બાળક સાથે સૃષ્ટ્રી વિરુદ્ધ કૃત્ય
વડતાલના સ્વામી સત્યસ્વપનો સૃષ્ટ્રી વિદ્ધ કૃત્યનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે એક બાળક સાથે સ્નાન સમયે બળજબરી કરીને સૃષ્ટ્રિવિદ્ધનું કૃત્ય કરતો નજરે પડી રહ્યો છે. યારબાદ મીડિયાની ટીમ વડતાલ પહોંચી હતા. યાં મંદિરના કોઠારી સ્વામી ગેરહાજર જોવા મળ્યા હતા
ગઢડાના સ્વામી ભગવતપ્રસાદનો બિભત્સ વીડિયો થયો વાયરલ
વડતાલના સત્યસ્વરૂપ બાદ ગઢડાના સ્વામી ભગવતપ્રસાદ દાસજીનો બિભત્સ વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં આ લંપટ સંત એક સંત જોડે જ શારીરિક સંબંધ દેખાઈ રહ્યો છે. સ્વામી ભગવતપ્રસાદ ગઢડાના ચેરમેન હરજીવન સ્વામી અને ભાનુસ્વામીના મંડળના છે. આ ઘટના બાદ ગઢડામાં હરિભક્તો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech