વિશ્વમાં ભગવાન બુદ્ધને માનનારા ભકતોની કોઈ કમી નથી. તેમના અવશેષો કે જે અહી ભારતમાં રાખવામાં આવ્યા છે તેને આ મહિનાની ૨૨ તારીખે એરફોર્સના વિશેષ વિમાન થકી થાઈલેન્ડ લઈ જવામાં આવી રહ્યા છે. ભગવાન બુદ્ધના અવશેષોની સાથે તેમના બે મુખ્ય શિષ્યો અરહતં સરિપુટ્ટ અને મહા મોગ્ગલાના અવશેષો પણ થાઈલેન્ડ જશે. આ પહેલીવાર હશે યારે ગૌતમ બુદ્ધની સાથે તેમના શિષ્યોના અવશેષો પણ અન્ય દેશોમાં ભકતો માટે રાખવામાં આવશે.
ભગવાન બુદ્ધના મૃત્યુને અઢી હજાર વર્ષથી વધુ સમય વીતી ગયો છે. પરંતુ તેમના અવશેષો (હાડકાં) હજુ પણ હાજર છે અને જેઓ બૌદ્ધ ધર્મમાં વિશ્વાસ કરે છે તેમના માટે આ અવશેષો ભગવાન બુદ્ધનું વાસ્તવિક સ્વપ છે. બુદ્ધના આ અવશેષોનો એક ભાગ ૨૨મી ફેબ્રુઆરીએ થાઈલેન્ડ લઈ જવામાં આવી રહ્યો છે, યાં ૧૯મી માર્ચ સુધી તેને ભકતો માટે ચાર વિસ્તારોમાં રાખવામાં આવશે. ભગવાન બુદ્ધની સાથે તેમના બે મુખ્ય શિષ્યો અરહતં સરિપુત્ત અને મહા મોગ્ગલાનાના અવશેષો પણ થાઈલેન્ડ જશે.આ માહિતી ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયના સચિવ ગોવિંદ મોહને આપી હતી. તેમણે કહ્યું કે આ પ્રથમ વખત બનશે કે ગૌતમ બુદ્ધની સાથે તેમના શિષ્યોના અવશેષો પણ અન્ય દેશોમાં ભકતો માટે રાખવામાં આવશે. આ અવશેષો મધ્યપ્રદેશના સ્તૂપમાં સચવાયેલા છે. આ ધાતુઓનું એક મહત્વ (અવશેષોને બૌદ્ધ ધર્મમાં ધતુસ કહેવામાં આવે છે) એ છે કે તેમને ખુદ બુદ્ધ દ્રારા સ્પર્શ કરવામાં આવ્યો હતો.
વાસ્તવમાં, બુદ્ધના આ બંને શિષ્યો બુદ્ધના જીવનકાળ દરમિયાન નિર્વાણ પામ્યા હતા. ત્યારે બુદ્ધે તેમના અવશેષોને સાચવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઉલ્લેખનીય છે કે ગૌતમ બુદ્ધનું મહાપરિનિર્વાણ ૮૦ વર્ષની વયે કુશીનગરમાં થયું હતું. તે પછી, તેમના તમામ અનુયાયીઓની પરસ્પર સંમતિથી, તેમના અવશેષોને આઠ ભાગોમાં વહેંચવામાં આવ્યા હતા, અલગ–અલગ કાસ્કેટમાં રાખવામાં આવ્યા હતા, સીલ કરવામાં આવ્યા હતા અને તે સમયના આઠ રાયોને સોંપવામાં આવ્યા હતા.અપાયેલા સામ્રાયોમાં કપિલવસ્તુના શાકયો, મગધના અજાતશત્રુ, વૈશાલીના લિચ્છવી, કુશીનગરના મલ્લ, અલકપ્પાના બુલીઝ, પાવાના મલ્લ, રામગ્રામના કોલિયા અને વેથાદીપના બ્રાહ્મણોનો સમાવેશ થાય છે. આ અવશેષોને અલગ સ્તૂપ બનાવીને સુરક્ષિત રાખવામાં આવ્યા હતા.આમાંથી એક થડ પચાસના દાયકામાં પુરાતત્વ સર્વેક્ષણ દ્રારા ખોદવામાં આવ્યું હતું, જેમાં બુદ્ધના ૨૨ અવશેષો મળી આવ્યા હતા. આ બોકસમાં પાલીમાં લખેલું હતું ભગવાન બુદ્ધના અવશેષો. તેમાંથી ૨૦ અવશેષો દિલ્હીના નેશનલ મ્યુઝિયમમાં રાખવામાં આવ્યા છે, યારે બે અવશેષો કોલકાતાના મ્યુઝિયમમાં રાખવામાં આવ્યા છે. ભારતમાં ૨૨ અવશેષોમાંથી ચારને કાચના કેસમાં રાખવામાં આવ્યા છે.અગાઉ, ૧૮૮૯–૯૯માં બ્રિટિશ એન્જિનિયર વિલિયમ કલેકસટન પેપેએ યુપીના સિદ્ધાર્થનગરમાં પિપરવા ખાતે ખોદકામ કયુ હતું અને તેમને બુદ્ધના અવશેષો સાથે વિવિધ વસ્તુઓ મળી આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech