Lok Sabha Election: દાહોદના એક કેન્દ્ર પર પુનઃ મતદાન, બૂથ કેપ્ચરિંગની ઘટના બાદ ECએ આપ્યો આદેશ

  • May 09, 2024 10:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના દાહોદ લોકસભા મતવિસ્તારના સંતરામપુરા તાલુકામાં આવેલા પરથમપુર મતદાન મથક પર બૂથ કેપ્ચરની ઘટના બાદ ચૂંટણી પંચે 11મી મેના રોજ પુનઃ મતદાન કરવાનો આદેશ આપ્યો છે.


આરોપીએ વીડિયો કર્યો હતો લાઈવ

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા દરમિયાન ભાજપના નેતા રમેશ ભાભોરના પુત્ર વિજય ભાભોર અને તેના સહયોગીઓ મતદાન મથક 220 પર ગયા હતા અને પરથમપુર ગામમાં ચૂંટણી અધિકારીઓ અને કર્મચારીઓને ધમકી આપી હતી. આ પછી તેણે વોટિંગને ઈન્ટરનેટ મીડિયા પર લાઈવ કર્યું. તેના પ્રસારણ પછી આરોપીએ તેના એકાઉન્ટમાંથી વિડિઓ હટાવી દિધો હતો.


આરોપી હતો નશાની હાલતમાં

ચૂંટણી કાર્યકરોએ જણાવ્યું કે આરોપી નશાની હાલતમાં હતો. ઘટના બાદ પોલીસે તેને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરી હતી. દાહોદ એ અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠક છે. પૂર્વ મંત્રી જસવંત ભાભોર અહીંથી ભાજપના ઉમેદવાર છે જ્યારે કોંગ્રેસે પૂર્વ સાંસદ પ્રભા તાવિયાડને મેદાનમાં ઉતાર્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application