રાજકોટમાં ફોલ્ટ રિપેરિંગ વખતે ટીસીમાં વીજશોક લાગતા લાઇનમેનનું મોત

  • January 28, 2025 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટની સદર બજારમાં રાત્રીના ટીસીમાં વીજફોલ્ટ રીપેરીંગ કરતી વખતે અચાનક વીજ પ્રવાહ શ થઇ જતા લાઇનમેનને વીજશોક લાગતા ગંભીર હાલતમાં પ્રથમ ખાનગી બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર કારગત ન નીવડતા મોત થયું હતું. બનાવના પગલે પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
પ્રા વિગત મુજબ રાજકોટમાં પોપટપરામાં રઘુનંદન સોસાયટીમાં રહેતા અને પીજીવીસીએલમાં હેલ્પર તરીકે નોકરી કરતા નરેન્દ્રભાઈ ગોવિંદભાઇ જાદવ (ઉ.વ.૪૧) નામના યુવક ગત રાત્રીના ફરજ પર હતા ત્યારે સદર બજારમાં વિજ ફોલ્ટ આવતા ટીમ સાથે સદર બજારમાં ભારત ફ્રટની સામે આવેલા ટીસીમાં ફોલ્ટ રીપેરીંગ માટે ગયા હતા. દરમિયાન વીજપુરવઠો બધં કરવાની જાણ કન્ટ્રોલ મમાં જાણ કરતા પુરવઠો બધં કરવામાં આવ્યો હતો. અને ટીસી ઉપર રીપેરીંગ કામ કરી રહ્યાં હતાં ત્યારે અચાનક વિજ પુરવઠો શ થતાં નરેન્દ્રભાઈને વિજકરટં લાગતા વિજ તાર સાથે ચોંટી ગયાં હતાં.
તાકીદે સાથી કર્મીઓએ વીજ પુરવઠો બધં કરાવી નરેન્દ્રભાઈને બેભાન હાલતમાં નીચે ઉતારી સારવાર અર્થે પ્રથમ ગિરિરાજ હોસ્પિટલ અને બાદમાં સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર. નગર પોલીસને જાણ કરતાં પીએસઆઇ બી. વી.બોરીસાગર સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને જરી કાર્યવાહી કરી હતી.
મૃતક નરેન્દ્રભાઈ પરિવારના એકના એક સંતાન હતા પોતાને સંતાનમાં દીકરો દીકરી છે. અને નરેન્દ્રભાઈના પિતા નિવૃત રેલ્વે કર્મચારી હતાં જે હયાત નથી, પરિવારના આધાર સ્થભં યુવકના મોતથી પરિવારમાં આક્રદ સર્જાયો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application