શુક્રવારની નમાઝની જેમ હિન્દુઓ મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરે

  • January 29, 2024 01:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હિન્દુ રક્ષા નિધિ અર્પણ કાર્યક્રમ અંતર્ગત નવાબગંજના ધોબાહી ગામમાં રામ મંદિર ધન્યવાદ અને દર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઈન્ટરનેશનલ હિન્દુ કાઉન્સિલના પ્રમુખ અને સંસ્થાપક પ્રવીણ તોગડિયાએ મુસ્લિમોની વધતી વસ્તી પર ચિંતા વ્યકત કરી હતી. તેમણે કહ્યું કે મુસ્લિમ વસ્તીને નિયંત્રિત કરવાની જર છે.

ધોબાહી ગામમાં આયોજિત રામમંદિર આભારવિધિ અને દર્શન કાર્યક્રમમાં ગામના પ્રમુખ અતુલકુમાર સિંહે પ્રવીણ તોગડિયાનું ફલહારથી સ્વાગત કયુ હતું. આ પછી, કાર્યક્રમને લગતા પ્રવીણ તોગડિયાએ કહ્યું કે શુક્રવારની નમાઝની જેમ, તમામ હિન્દુઓએ મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.
આ દરમિયાન આંતરરાષ્ટ્ર્રીય હિંદુ પરિષદના સહ સંગઠન મંત્રી ઈશ્વરી પ્રસાદ, પ્રાંત સંગઠન મંત્રી વેદ પ્રકાશ સચાન, પ્રાંતીય સહ સંગઠન મંત્રી ઈન્દર બલી સિંહ, પ્રાંત ઉપાધ્યક્ષ ડો.રામપારસ સિંહ, શિવરામ સિંહ, હર્ષ સિંહ, કિસાન મોરચાના જિલ્લા ઉપાધ્યક્ષ વિજયભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કુમાર સિંહ, ભાજપ મંડલ પ્રમુખ બલવતં સિંહ અને શિવ કુમાર સિંહ સહિત અનેક લોકો હાજર રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application