વકીલની હત્યાંના વિરોધમાં ધારાશાસ્ત્રીઓએ કર્યા સૂત્રોચાર

  • March 14, 2024 04:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના જાણીતા એડવોકેટ અને વકીલ મંડળના સભ્ય હારુનભાઈ પાલેજાની સરાજાહેર નિર્મમ હત્યાં કરાઈ હતી. જે અંગે ભાવનગર બાર એસોસીએશન, ક્રિમીનલ બાર એસોસીએશન તથા એકસીડેન્ટ કલેઈમ બાર એસોસીએશન દ્વારા વિરોધ સાથે સુત્રોચાર કરાયા હતા. તેમજ એડવોકેટ પ્રોટેક્શન બિલ પાસ કરવા માંગ કરી હતી. જામનગર વકીલ મંડળનાં સભ્ય એડવોકેટ હારૂનભાઈ પાલેજાની સરાજાહેર ઘાતકીય રીતે હત્યા કરવામાં આવી છે. વકીલ દરજજાની વ્યકિત સાથે આવુ નિર્મમ અને ધૃણાજનક કૃત્યનાં બનાવને લઇ ભાવનગરનાં ત્રણેય વકીલ મંડળો સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હતી. અને હત્યારાઓને તાકીદે ધરપકડ કરવા તંત્રને અનુરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વકીલોનાં હિતોના સંરક્ષણ માટે પણ તાત્કાલીક એડવોકેટ પ્રોટેકશન બિલ લાવવા માટે બુલંદ અવાજે માંગણી કરી હતી. ત્યારે ભાવનગર કોર્ટ પરિસર ખાતે વકીલ હારૂનભાઈ પાલેજાની સરાજાહેર થયેલી હત્યાનાં વિરોધમાં ભાવનગરના ત્રણેય વકીલ મંડળનાં સમ્યા કોર્ટ કાર્યવાહીથી અળગા રહી વિરોધ સાથે સુત્રોચાર કરાયા હતા. જેમાં ત્રણેય વકીલ મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ, હોદ્દેદારો અને ૧૫૦ થી વધુ વકીલ ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application