જામનગરના જાણીતા એડવોકેટ અને વકીલ મંડળના સભ્ય હારુનભાઈ પાલેજાની સરાજાહેર નિર્મમ હત્યાં કરાઈ હતી. જે અંગે ભાવનગર બાર એસોસીએશન, ક્રિમીનલ બાર એસોસીએશન તથા એકસીડેન્ટ કલેઈમ બાર એસોસીએશન દ્વારા વિરોધ સાથે સુત્રોચાર કરાયા હતા. તેમજ એડવોકેટ પ્રોટેક્શન બિલ પાસ કરવા માંગ કરી હતી. જામનગર વકીલ મંડળનાં સભ્ય એડવોકેટ હારૂનભાઈ પાલેજાની સરાજાહેર ઘાતકીય રીતે હત્યા કરવામાં આવી છે. વકીલ દરજજાની વ્યકિત સાથે આવુ નિર્મમ અને ધૃણાજનક કૃત્યનાં બનાવને લઇ ભાવનગરનાં ત્રણેય વકીલ મંડળો સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હતી. અને હત્યારાઓને તાકીદે ધરપકડ કરવા તંત્રને અનુરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વકીલોનાં હિતોના સંરક્ષણ માટે પણ તાત્કાલીક એડવોકેટ પ્રોટેકશન બિલ લાવવા માટે બુલંદ અવાજે માંગણી કરી હતી. ત્યારે ભાવનગર કોર્ટ પરિસર ખાતે વકીલ હારૂનભાઈ પાલેજાની સરાજાહેર થયેલી હત્યાનાં વિરોધમાં ભાવનગરના ત્રણેય વકીલ મંડળનાં સમ્યા કોર્ટ કાર્યવાહીથી અળગા રહી વિરોધ સાથે સુત્રોચાર કરાયા હતા. જેમાં ત્રણેય વકીલ મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ, હોદ્દેદારો અને ૧૫૦ થી વધુ વકીલ ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઇઝરાયેલમાં અંધાધૂંધ ગોળીબારમાં મહિલાનું મોત, અનેક ઘાયલ
October 06, 2024 08:27 PMIND W vs PAK W: ભારતીય ટીમે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું
October 06, 2024 08:25 PMનરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના સફળ 23 વર્ષ પૂર્ણ
October 06, 2024 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech