ખારવા ગામ ખાતે આહિર સમાજના ભવ્ય સમુહ લગ્તોન્સવ સંપન્ન

  • February 15, 2024 12:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ર૪ નવદંપતિઓ લગ્નગ્રંથીની જોડાયા: સમાજના શ્રેષ્ઠીઓ, દાતાઓનું ભવ્ય સન્માન

ધ્રોલના ખારવા ગામ ખાતે શ્રી મુરલીધર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી આહિર સમાજ સેવા સમિતિ ૧૦મા સમુહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૪ નવદંપતિઓ સપ્તપદીના સાત ફેરા ફરીને લગ્ન ગ્રંથી જોડાયા હતા શ્રી મુરલીધર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી આહિર સમાજ સેવા સમિતિ (ધ્રોલ) દ્વારા ધ્રોલ પંથકના હમાપર રોડ પર આવેલ ગામ મુકામે ૧૦માં સમૂહલગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં હતુ આ સમૂહલગ્નોત્સવ દર વર્ષ ની જેમ વસંત પંચમીના શુભ દિવસ પર યોજવામાં આવે છે.
જેમાં ૨૪ નવયુગલો લગ્નના તાંતણે બંધાય પ્રભુતામાં પગલાં પાડયા આયોજનમાં ૧૦ હજારથી વધુ જ્ઞાતિબંધુઓએ લાભ લીધો હતો અને આ સમૂહલગ્નોત્સવના ભોજનના દાતા સોમીબેન કનુભાઈ મકવાણા (અલીયાબાડા) વાળાનું પણ સન્માન કરાયું હતું મુરલીધર ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા ભવ્ય આયોજન કરવામા આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application