કોલકાત્તા કેસ : સ્ટમોર્ટમ કરનાર ટીમના સભ્ય અપૂર્વ બિસ્વાસને સમન્સ પાઠવાયું, TMC નેતા પર ઉઠ્યા સવાલ

  • September 23, 2024 01:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)





કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં બળાત્કાર અને હત્યા કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે સીબીઆઈએ આ કેસમાં તાલીમાર્થી ડૉક્ટરનું પોસ્ટમોર્ટમ કરનાર ટીમના સભ્ય ફોરેન્સિક ડૉક્ટર અપૂર્વ બિસ્વાસને સમન્સ પાઠવ્યું છે.




સુવેન્દુનો દાવો- TMC નેતાએ ડૉક્ટરને આપી ધમકી




ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ મોટો દાવો કર્યો છે. સુવેન્દુએ કહ્યું કે, સીબીઆઈ દ્વારા પૂછપરછ કર્યા બાદ બહાર નીકળતી વખતે તેણે મોટો ખુલાસો કર્યો. તેણે કહ્યું કે, પીડિતાના કાકા હોવાનો દાવો કરતો એક વ્યક્તિ હતો અને ધમકી આપતો હતો કે જો દિવસના અંત સુધીમાં પોસ્ટમોર્ટમ પૂર્ણ નહીં થાય તો 'લોહીની નદી' વહેશે.




સુવેન્દુએ એવો પણ દાવો કર્યો હતો કે, તે વ્યક્તિ પૂર્વ કાઉન્સિલર સંજીવ મુખર્જી છે. તે પાણીહાટી નગરપાલિકાના ભૂતપૂર્વ CPIM કાઉન્સિલર છે, જેઓ પાછળથી મમતા બેનર્જીની પાર્ટી TMCમાં જોડાયા હતા અને પાણીહાટી TMC ધારાસભ્ય નિર્મલ ઘોષના નજીકના સાથી બન્યા હતા.




સુવેન્દુ અધિકારીએ કર્યા આ આક્ષેપો


બીજેપી નેતાએ વધુમાં કહ્યું કે, બધા જાણે છે કે પીડિતાના અંતિમ સંસ્કાર ઉતાવળમાં કરવામાં આવ્યા હતા. પોલીસ સ્મશાનભૂમિ ખાતેની કાર્યવાહી પર નજર રાખી રહી હતી અને મૃતદેહના નિકાલ માટે સ્મશાનભૂમિ ખાતે ભારે ઉતાવળ હતી. મમતા બેનર્જીની સૂચના મુજબ નિર્મલ ઘોષ પોતે હાજર હતા.



બીજેપી નેતાએ કહ્યું કે, વિચિત્ર વાત એ છે કે તે સ્મશાન સર્ટિફિકેટ પર સહી કરનાર સંજીવ મુખર્જી જ છે, જો કે તેઓ પીડિતાના સંબંધી નથી. દસ્તાવેજ પર અન્ય એક સહી સોમનાથ ડેની પણ છે. સુવેન્દુએ પ્રશ્ન ઉઠાવ્યો કે, શું તે એ જ વ્યક્તિ છે?



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application