કેજરીવાલને ઇડીનું તેડું, 2 નવેમ્બરે કરાશે પૂછપરછ

  • October 31, 2023 11:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આમ આદમી પાર્ટીની કાયદાકીય મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાતા નથી. સુપ્રીમ કોર્ટે આજે સોમવારે દિલ્હીના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી હતી. ત્યાર બાદ આજે મોડી સાંજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને નોટિસ પાઠવી છે. ઈડીએ નોટિસ દ્વારા સીએમ કેજરીવાલને 2 નવેમ્બરે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.


એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે એ દારૂ કૌભાંડ મામલે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને નોટિસ મોકલી છે. સીએમ અરવિંદ કેજરીવાલને આગામી 2 નવેમ્બરના રોજ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. આ પહેલા દિલ્હીના સીએમ કેજરીવાલને સીબીઆઈએ, ગત એપ્રિલ મહિનામાં પૂછપરછ માટે બોલાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે દારુ કૌંભાડ કેસમાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા છેલ્લા 8 મહિનાથી જેલમાં છે.



કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે દિલ્હીના કથિત દારૂ કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તપાસનો વિસ્તાર વધાર્યો છે. ઇડીએ હવે આ મામલામાં પૂછપરછ માટે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ દારૂ કૌભાંડ કેસમાં સતત કાર્યવાહી કરી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે આ જ કેસમાં, ગત 4 ઓક્ટોબર 2023ના રોજ આમ આદમી પાર્ટીના નેતા અને સાંસદ સંજય સિંહની ધરપકડ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application