- સાઉથના સુપર સ્ટારે અદાની ફિલ્મ સત્ય ઘટનાવાળી ન હોવાનું જણાવ્યું
- અબુધાબીમાં એક્ટરે કહ્યું- માત્ર સત્ય ઘટનાનો લોગો દર્શાવવાનું પુરતુ નથી
બંગાળી ડિરેક્ટર સુદીપ્તો સેનના નિર્દેશનમાં બનેલી વિવાદી ફિલ્મ ધ કેરલ સ્ટોરીએ 22 દિવસમાં 194 કરોડની કમાણી કરી લીધી છે. છતાં આ ફિલ્મે વિવાદ જગાવવાનું ચાલુ રાખ્યું છે. નવાઝુદ્દીન સિદ્દિકી બાદ સાઉથના સપર સ્ટાર કમલ હાસને આ ફિલ્મ વિરુદ્ધ નિવેદન આપ્યું. તેણે તો ફિલ્મને ખોટી ગણાવી છે.
આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. કેરળ ઉપરાંત બંગાળ અને તમિલનાડુમાં પણ આ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચતા સર્વોચ્ચ અદાલતે બંગાળ અને તમિલનાડુમાંથી પ્રતિબંધ ઉઠાવી લેવા આદેશ કર્યો હતો.
કોંગ્રેસ નેતા શશિ થરુર સહિત લોકોએ આ ફિલ્મને પ્રોપગેન્ડા ગણાવીને તેનો વિરોધ કર્યો હતો. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી પણ આ ફિલ્મને અલગ-અલગ પ્રતિસાદ મળ્યો હતો. હવે એક એવોર્ડ શોમાં અબુ ધાબી પહોંચેલા અભિનેતા અને રાજકારણી કમલ હાસને આ ફિલ્મ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. કમલ હસને કેરેલા સ્ટોરી ફિલ્મ અંગે ખૂબ જ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.
ચાચી 420 ફેમ કમલ હાસને ધ કેરલ સ્ટોરી અંગે નિવેદન આપતા કહ્યું છે કે....
હું પ્રોપેગન્ડા ફિલ્મોની વિરુદ્ધ છું. માત્ર સત્ય વાર્તાનો લોગો દર્શાવવાનું પૂરતું નથી. આ ખરેખર સાચું હોવું જોઈએ અને આ ફિલ્મ ધ કેરલ સ્ટોરી સાચી નથી. કમલ હાસનના આ નિવેદન બાદ લોકોએ તેને અનેક પ્રશ્ન પૂછ્યા હતા.લોકોએ અભિનેતાને પૂછ્યું કે તેણે આજ સુધી કઈ સાચી ઘટના પર ફિલ્મ બનાવી છે. એકે લખ્યું- વિશ્વરૂપમ સાચી ફિલ્મ હતી?
નવા સંસદ ભવન અંગે કમલ હાસને પણ પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેણે કહ્યું....
'રાષ્ટ્રીય ગૌરવની આ ક્ષણ લોકોને રાજકીય રીતે વિભાજિત કરવા જેવી થઈ ગઈ છે. હું આપણા વડા પ્રધાનને એક સરળ પ્રશ્ન પૂછું છું કે કૃપા કરીને દેશને કહો કે, ભારતના રાષ્ટ્રપતિએ આપણી નવી સંસદના ઉદ્ઘાટનમાં શા માટે હાજરી ન આપવી જોઈએ? મને કોઈ કારણ દેખાતું નથી કે શા માટે ભારતના રાષ્ટ્રપતિ રાજ્યના વડા તરીકે આ ઐતિહાસિક પ્રસંગનો ભાગ ન બને.
કમલ હાસને વધુમાં કહ્યું કે...
'હું રાષ્ટ્રીય હિતમાં નવી સંસદના ઉદ્ઘાટનની ઉજવણી કરીશ પરંતુ તેમાં હાજરી ન આપવા બદલ રાષ્ટ્રપતિ અને વિપક્ષી પાર્ટી સામે મારો વિરોધ પણ વ્યક્ત કરીશ.'
ઘણા વિરોધ પક્ષોએ આ સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. તેમણે માંગ કરી હતી કે નવી સંસદનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કરવામાં આવે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech