જામનગરમાં પટેલ કોલોની શંખેશ્ર્વર પાર્શ્ર્વનાથ દેરાસર ખાતે કલ્યાણ મહોત્સવ યોજાયો

  • March 30, 2024 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ગઇકાલે ફાગણ વદ-૪ ને ર૯/૩ ના શુક્રવારના રોજ પટેલ કોલોની ખાતે શંખેશ્ર્વર પાર્શ્ર્વનાથ જૈન સંઘ ખાતે ચ્યવન અને કેવળજ્ઞાન કલ્યાણ મહોત્સવ પૂ.પં.વજ્રસેન વિજય મહારાજના લઘુ ગુરુબંધુ અને પૂ.આ.હેમપ્રભસુરીશ્ર્વરજી મહારાજના શિષ્ય તથા ગણીવર્ય હેમતિલક વિજયજી મ.સા., મુનિરાજ હેમવર્ધન વિજયજી મ.સા.ની નિશ્રામાં સવારે ૬.૩૦ વાગ્યે અભિષેકની સાથે પૂજા કરવામાં આવી હતી તથા પ્રભુજીને ૧૦૮ પ્રદક્ષિણા ફરવામાં આવી હતી, રાત્રે ૮.૩૦ કલાકે ભાવના સંગીતકાર મહેક શેઠ દ્વારા કરાવવામાં આવી હતી. પ્રભુ પાર્શ્ર્વનાથના કલ્યાણક મહોત્સવ નિમિણે પટેલ કોલોની તથા જામનગરના જૈન-જૈનતરોએ બહોળી સંખ્યામાં દર્શન, પૂજા, ભાવનાનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application