ભારતમાંથી કૈલાશ પર્વતના દર્શનની રાહ જોઈ રહેલા શ્રદ્ધાળુઓ માટે એક મોટા અને સારા સમાચાર છે. ઉત્તરાખંડના પિથૌરાગઢ જિલ્લાના જૂના લિપુલેખની પહાડીઓ પરથી એમઆઈ–૧૭ હેલિકોપ્ટર દ્રારા કૈલાશ પર્વતનું દર્શન આગામી સાહથી શ થશે. તેની જાહેરાત ૨–૩ દિવસમાં થઈ શકે છે. આ યાત્રાનો ખર્ચ ૭૫ હજાર પિયા અંદાજવામાં આવ્યો છે. યારથી ચીને કૈલાશ યાત્રાના તમામ માર્ગેા પર અવરજવર બધં કરી દીધી છે ત્યારથી ભારતીયો આ યાત્રા કરી શકતા નથી. કૈલાશ પર્વત ચીનના કબજા હેઠળના તિબેટમાં છે અને ચીનની સરહદ વ્યુ પોઈન્ટથી ૧૦ કિમી દૂર છે. વ્યુ પોઈન્ટની ઉંચાઈ ૧૪ હજાર ફટથી વધુ છે. તેથી, ફકત ૫૫ વર્ષ સુધીની વયના લોકોને જ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે.
જૂના ટની સરખામણીએ પ્રવાસનો ખર્ચ અડધા કરતાં પણ ઓછો હશે. ૨૦૧૯ સુધી ભારતીય નાગરિકો ત્રણ માર્ગેા દ્રારા કૈલાશ પર્વત સુધી પહોંચી શકતા હતા પ્રથમ– નેપાળ, બીજું– જૂનું લિપુલેખ અને ત્રીજું– સિક્કિમ. આ માર્ગેા દ્રારા મુસાફરી ૧૧ થી ૨૨ દિવસમાં પૂર્ણ કરવામાં આવતી હતી અને તેનો ખર્ચ ૧.૬ લાખથી ૨.૫ લાખ પિયા હતો. કોરોના આવતાની સાથે જ ચીને ત્રણેય ટ બધં કરી દીધા હતા. તેથી, ભારત સરકારે જૂના લિપુલેખની પહાડીઓ પરથી કૈલાસના દર્શન કરવાનો રસ્તો શોધી કાઢો છે અને બીઆરઓએ ઘણી મુશ્કેલીથી અનેક પહાડો કાપીને આ રોડ બનાવ્યો છે
આ યાત્રા પિથોરાગઢથી શરૂ થશે
અહીંથી આર્મીનું એમઆઈ–૧૭ હેલિકોપ્ટર એક સમયે ૧૫ શ્રદ્ધાળુઓને જૂના લિપુલેખથી ૩૦ કિલોમીટર પહેલા ગુંજી ગામમાં લઈ જશે. અહીંથી ફોર બાય ફોર ટ્રેન ૨૧ કિમી આગળ નાભિધાંગ લઈ જશે. પહેલા ઓમ પર્વત જવાનું અને ત્યારબાદ તેમની સુરક્ષામાં આર્મી અને આઈટીબીપીના જવાનો શ્રદ્ધાળુઓને ૯ કિમી આગળ જૂના લિપુલેખ પાસ સુધી લઈ જશે.
કઈ રીતે કરાવાશે યાત્રા
– દરેક મુસાફરને ધારચુલા (પિથોરાગઢથી ૧૧ કિમી) ખાતે આરોગ્ય તપાસ કરાવવી પડશે.અહીં પરમિટ મળશે.
– પહેલા દિવસે પિથોરાગઢથી હેલિકોપ્ટર દ્રારા ગુંજી ગામ જવાનું અને ત્યાં રાત્રી રોકાણ
– બીજા દિવસે કાર દ્રારા આદિ કૈલાશના દર્શન માટે જોલિંગકોંગ જવાનું અને .સાંજે ગુંજી પરત ફરીને રાત્રી રોકાણ
– ત્રીજા દિવસે કૈલાસ વ્યુ પોઈન્ટ પર પાછા આવીને ત્રીજી રાત ગુંજીમાં વિતાવવાની
– ચોથા દિવસે હેલિકોપ્ટર દ્રારા પિથોરાગઢ પરત જવાનું.
એક સમયે ૧૫ શ્રદ્ધાળુ જઇ શકશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા બરડીયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે અકસ્માત, 3 થી 4 લોકોના મોત થયાની આશંકા
September 28, 2024 09:01 PMઅમેરિકામાં 'હેલેન' વાવાઝોડાએ તબાહી મચાવી, એક મહિનાના જોડિયા બાળકો સહિત 44ના મોત
September 28, 2024 08:42 PMBCCIની બેઠકમાં IPL પર લેવાશે મોટો નિર્ણય, અધ્યક્ષ સહિત આ 3 પદો પર નિર્ણય!
September 28, 2024 08:38 PMરાજકોટ: મંદિરના પૂજારીને માર મારતો હોવાનો વિડીયો થયો વાયરલ, સમગ્ર ઘટના થઈ સીસીટીવીમાં કેદ
September 28, 2024 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech