જોડિયા એસબીઆઈ એટીએમ એટલે નાણાં વગરનો નાથિયો

  • October 12, 2023 12:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જોડિયા એસબીઆઈ એટીએમ એટલે નાણાં વગરનો નાથિયો


જોડિયામાં આવેલ એસબીઆઈ એટીએમ મશીનમાં છેલ્લા એકાદ માસથી નાણાં મુકવામાં જ નથી આવ્યા તેથી એટીએમ મશીન પથગાય વિનાનો ખીલ્લોથથ જેવી હાલત થવા પામી છે.

જોડિયામાં આસપાસના અસંખ્ય ગ્રામજનો હટાણું કરવા આવતાં હોય છે અને હાલમાં પિતૃ મહિનો ચાલી રહ્યો છે નવરાત્રી શરૂ થવાને દિવસ ગણાઈ રહ્યા છે એવા સમયે જ જોડિયા એસબીઆઈ એટીએમ મશીન બંધ જેવી હાલતમાં હોવાથી  ખાતાધારોકો છતે નાણાંએ હાલાકીમાં મુકાઇ જવા પામ્યા છે.

એસબીઆઈના જવાબદાર અધિકારી જોડિયા એટીએમ મશીનમાં પુરતા પ્રમાણમાં નિયમિત રીતે નાણાંની વાછંટ વરસાવે જેથી કરીને નોરતા બાદ દિવાળીના તહેવારો સમયે જોડિયા વાસીઓને હાલાકીનો સામનો કરવો ના પડે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application