બેરીકેટની કામગીરી ઝડપી બનાવાઇ: લોકોને સાવચેત રહેવા કરાઇ અપીલ
જામનગરમાં તળાવની પાળે ભારે વરસાદ દરમિયાન તળાવની પાળ ફરતે કરવામાં આવેલ આડશવાળી દીવાલ તૂટી જવા પામી હતી. પરિણામે દરરોજ વોકિંગ માટે જતા લોકો માટે હાલ આ સુવિધા બંધ કરી દેવામાં આવી છે. આથી નિયમિત વોકિંગ કરતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે, જો કે બે દિવસમાં આ સુવિધા શરૂ કરી દેવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.
થોડા દિવસ પહેલા થયેલા ભારે વરસાદમાં તળાવની પાળે દીવાલ તૂટી પડી હતી. આથી સુરક્ષાના કારણોને ધ્યાનમાં લઈને ત્યાં અવરજવર અને વોકિંગ માટે આવતા લોકો માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. છેલ્લા એક અઠવાડિયા કરતા વધુ સમયથી આ માર્ગબંધ હોવાથી દરરોજ વોકિંગ કરવા જતા લોકો હવે અકળાયા છે અને આ સુવિધા ક્યારે શરૂ થશે તેવો સવાલ ઊઠાવી રહ્યા છે.
જો કે, મહાનગરપાલિકાના અધિકારીના જણાવ્યા પ્રમાણે ત્યાં ત્રણ સ્થળે કામ ચાલી રહ્યું છે અને બે દિવસમાં આ સેવા પુન: શરૃ કરી દેવામાં આવશે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાલ આ રસ્તો અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. જ્યાં બે સ્થળે બેરી કેટિંગ કરાયું છે, જ્યારે એક સ્થળે માટી ભરેલી બેગો મૂકી દેવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech