પૂર્વ કોર્પોરેટર સામે ફરિયાદ: માંગણી કરેલ રુપીયા નહીં આપતા શખ્સ વિફર્યો
જામનગરમાં હવાઈ ચોક વિસ્તારમાં રહેતા એક વેપારી અને તેના ભાઈ તેમ જ બનેવીને પૈસાની લેતી દેતીના મામલે જામનગરના પૂર્વ કોર્પોરેટરે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવતાં ચકચાર જાગી છે.
જામનગરમાં હવાઇચોક વિસ્તારમાં શ્રીજી એપાર્ટમેન્ટ ફલેટ નં. ૨૦૨માં રહેતા વિમલભાઈ કિશોરભાઈ કનખરા નામના ૪૬ વર્ષના વેપારી યુવાને પોતાને તેમજ પોતાના ભાઈ તથા બનેવીને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પૂર્વ કોર્પોરેટર ધીરેશ ગિરધરભાઈ કનખરા (રહે. તળાવની પાળ ટ્રાવેલ્સવાળી ગલી) અને તેના એક સાગરિત સામે સીટી-એમાં આઇપીસી કલમ ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪, જીપીએકટ ૧૩૫(૧) મુજબ ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અને આરોપી એક જ જ્ઞાતિના હોવાથી દિવાળીની રાત્રીએ ફરિયાદી પાસે આરોપી ધીરેશ કનખરાએ દવાખાનાના કામ માટે એક લાખ રુપિયા માંગ્યા હતા, જે નહીં આપતાં આરોપી ઉશ્કેરાઈ ગયો હતો, અને પોતાના અજાણ્યા એક સાગરીત સાથે આવીને છરી બતાવી ધમકી ઉચ્ચારી હતી. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆસામમાં પૂરને કારણે હાહાકાર, 58 લોકોએ ગુમાવ્યા જીવ, હજારો લોકોના ઘર પાણીમાં ડૂબ્યા
July 07, 2024 04:39 PMKulgam Encounter: સુરક્ષા દળોનું મોટું ઓપરેશન, અત્યાર સુધીમાં છ આતંકીઓનો ખાત્મો
July 07, 2024 04:37 PMરાજકોટ : ભીલવાસ નજીક ઇગલ પેટ્રોલ પંપે રાત્રીના માથાભારે શખ્સે ફિલરમેનને છરીના ઘા ઝીંક્યા
July 07, 2024 03:50 PMજામકંડોરણામાં : અષાઢી બીજ નિમિત્તે રામજીની ભવ્ય રથયાત્રા, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
July 07, 2024 03:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech