જગન્નાથપૂરી મંદિરના ખજાનાની ચાવીઓ ખોવાઈ જતા સરકાર-વિપક્ષ વચ્ચે ખેંચતાણ, મામલો પહોંચ્યો હાઈકોર્ટ

  • May 01, 2023 02:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓડિશામાં જગન્નાથ પુરીના તિજોરીની ચાવીને લઈને ભાજપ અને બીજેડી સરકાર વચ્ચે ખેંચતાણ શરુ થઈ છે અને  ઓડિશા હાઈકોર્ટે બીજેડી સરકારને ન્યાયિક તપાસ પંચના અહેવાલ વિશે જાણકારી આપવા કહ્યું છે. સામાજિક કાર્યકર્તા દિલીપ બરાલની અરજી પર સુનાવણી કરતા 25 એપ્રિલે હાઈકોર્ટે રાજ્યના મુખ્ય સચિવ અને કાયદા સચિવને સરકાર વતી જવાબ આપવા જણાવ્યું હતું. આ મામલાની આગામી સુનાવણી 10 જુલાઈએ થશે. જો કે ખજાનાના આ રહસ્યને લઈને ભાજપ બીજેડી પર પ્રહારો કરી રહી છે.



પુરીના જગન્નાથ મંદિરમાં કેટલીક શંકાસ્પદ ગતિવિધિઓની આશંકા અંગે સવાલો ઉઠી રહ્યા છે. એવું કહેવાય છે કે મંદિરના આંતરિક રત્ન ભંડારની ચાવીઓ ગાયબ છે. આ દરમિયાન મંદિરની બે મહત્વની ફાઈલો ગુમ હોવાના અહેવાલો પણ આવ્યા હતા. હવે વિપક્ષ આ મુદ્દે પટનાયક સરકારને ઘેરી રહ્યો છે.



એ એસ આઈની ટીમ 4 એપ્રિલ 2018ના રોજ રત્ન ભંડાર ખોલવા પહોંચી હતી, પરંતુ તેની ચાવી ન મળતા આ અંગે વિવાદ શરૂ થયો હતો. ભાજપના નેતા પિતાંબર આચાર્યએ કહ્યું કે સરકાર શા માટે મંદિરના અંદરના રૂમને ખોલવા માંગતી નથી. તેમણે કહ્યું કે ASIએ હાઈકોર્ટમાં કહ્યું છે કે આ રૂમને રિપેર કરવાની સખત જરૂર છે. આ રૂમમાં સુરક્ષિત રત્નો હજુ પણ છે કે નહી તે અંગે શંકા છે.



ઓડિશા પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ ગણેશ્વર બેહરાએ પણ આ અંગે પ્રશ્ન ઉઠાવ્યો અને કહ્યું કે આ મંદિરની સુરક્ષા એ એસ આઈ ની જવાબદારી છે. રૂમમાં રીપેરીંગની જરૂર હોય તો તેને તાત્કાલિક કરવું જોઈએ. તેમણે કહ્યું કે બીજેડી સરકાર જે કરી રહી છે, તેનાથી લાગે છે કે હવે રત્ન રૂમમાં સુરક્ષિત નથી. રાજ્યએ અહીં રાખવામાં આવેલા ખજાના વિશે બધાને જણાવવું જોઈએ.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application