મહાકાળી સર્કલથી રિંગરોડ સુધીની ૧૧ દુકાનો પર જામ્યુકોનું બુલડોઝર

  • August 11, 2023 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રસ્તો પહોળો કરવા માટે એસ્ટેટ શાખાના અધિકારીઓએ પોલીસ બંદોબસ્ત સાથે પાડતોડ શરુ કરી

જામનગર શહેરમાં ફરીથી એસ્ટેટ શાખા દ્વારા પાડતોડની કામગીરી શરુ કરી દેવામાં આવી છે, મહાકાળી સર્કલથી રીંગ રોડ પર આવેલી ૧૧ જેટલી ગેરકાયદેસર દુકાન, કેબીનો તોડવાની કામગીરી અગાઉ નકકી થઇ હતી, પરંતુ કેટલાક રાજકીય દબાણસર આ કાર્યવાહી થઇ ન હતી, આખરે મ્યુ.કમિશ્નરના આદેશથી આજે સવારે મહાકાળી સર્કલથી રીંગ રોડ પર રસ્તો પહોળો કરવા માટે રસ્તાની વચોવચ બની ગયેલી ૧૧ દુકાનોની કામગીરીની પાડતોડની કામગીરી શરુ કરી દેવામાં આવી છે.
મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીની સુચનાથી એસ્ટેટ શાખાના નિતીન દિક્ષીત, સુનીલ ભાનુશાળી અને યુવરાજસિંહ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે મહાકાળી સર્કલથી રિંગ રોડ ઉપરની દુકાનો તોડવાની કામગીરી શરુ કરી દેવામાં આવી હતી, આ સમયે કોઇપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે બુલડોઝરની સાથે જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
રીંગ રોડને પહોળો કરવાની કામગીરીમાં આ તમામ દુકાનો અડચણરુપ હતી તે દુકાનોને તોડવાની કામગીરી શરુ કરી દેવામાં આવતાં દબાણકારોમાં ભારે ફફડાટની લાગણી જન્મી છે, હજુ આ રસ્તા ઉપર અનેક દબાણો આવેલા છે આ દબાણો પણ ઝડપથી દુર થાય તે માટે કોર્પોરેશને વિચારવાની જરુર છે, ટુંકમાં આજે ૧૧ દુકાનોનું ડીમોલીશન શરુ થયું છે જે સાંજ સુધીમાં પૂર્ણ થઇ જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application