જય શ્રી રામ બોલશો તો ખેર નથી...!

  • July 10, 2024 12:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એ કે દોશી ભવન્સ વિદ્યાલયના વિદ્યાર્થીઓના ન્યાય માટે હિન્દુ સેનાએ શિક્ષણાઅધિકારીના દ્વાર ખખડાવ્યા



જામનગર પટેલ કોલોનીમાં આવેલી શ્રી એ કે દોશી ભવન્સ વિદ્યાલય માં ગુજરાતી તથા ઇંગ્લીશ મીડીયમ માં અભ્યાસ કરાવવામાં આવે છે જેમાં બે સમય પ્રાર્થના થતી હોય ત્યારે તે સમયે વિદ્યાર્થીઓ જય શ્રી રામ અને મહાદેવ હર બોલતા હોય છે પરંતુ આ શાળાના પ્રિન્સિપાલ ને કોઈ વાંધો નથી છતા જુનિયર પ્રિન્સિપાલ કલોરા બરેટો અને શિક્ષિકા રાખી રોકરીયા ને તકલીફ થતા વિદ્યાર્થીઓને ધાક ધમકી આપી જય શ્રી રામના નારા મંદિરો કે ઘરોમાં બોલાવા નું સ્પષ્ટ સંભળાવી દીધું અને એક વિદ્યાર્થીને માર પણ મારેલ જેથી વાલીઓએ જુનિયર પ્રિન્સિપાલ કલોરા ને રજૂઆત કરાતા વિદ્યાર્થીને એલ.સી. પકડાવી દેવાની ધમકી આપી, કોઈને ન કહેવાની વાત કરી વાલીઓને રવાના કરી દીધેલ હતા.

આ બાબતે વિદ્યાર્થીના વાલીએ હિન્દુ સેનામાં રજૂઆત કરતા, હિન્દુ સેના દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને તમામ વિગત થી વાકેફ કરી અને શ્રી એ કે દોશી ભવન્સ વિદ્યાલય ના જુનિયર પ્રિન્સિપાલ ક્લોરા બરોટા અને શિક્ષિકા રાખી રોકડીયા વિરુદ્ધ કાર્યવાહી કરવા અને વિદ્યાર્થીઓને ન્યાય અપાવા લેખિતમાં અરજી કરેલ જે સમયે હિંદુ સેનાના વિભાગ અધ્યક્ષ અશોકભાઈ સોલંકી, જામનગર શહેર મંત્રી મયુર ચંદન, પૂર્ણકાલીન કિશન નંદા, યુવા પાંખના પ્રમુખ હર્ષ ભાનુશાળી, રોહિત નારવાણી, ધીરેન નંદા, મીડિયા સેલના સચિન જોશી, રણજીતસિંહ રાઠોડ, મંથન અઘેરા, કુશાંત વાઘેલા, નિલેશ વડગામા, હેપી પ્રજાપતિ, ઓમ લવા સહિત અનેક  સૈનિકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application