ઇઝરાયેલે લેબનોનમાં હિઝબુલ્લાહ પર કર્યો હુમલો, 300 લક્ષ્યાંકો પર મોટા પ્રમાણમાં કર્યો બોમ્બમારો

  • September 23, 2024 11:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇઝરાયેલે સોમવાર (23 સપ્ટેમ્બર)ના રોજ લેબનોન પર મોટો હુમલો કર્યો હતો જેમાં 182 લોકોના મોત થયા હતા. ઈઝરાયેલના વડાપ્રધાને તેને નરસંહાર ગણાવ્યો છે.


લેબનોન પર ઇઝરાયેલના હુમલા ચાલુ છે. સોમવાર (23 સપ્ટેમ્બર)ના રોજ, ઇઝરાયેલે લેબનોન પર ફરીથી મોટો હુમલો કર્યો, જેમાં 182 લોકોના મોત થયા અને 400 થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી હતી. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) એ કહ્યું કે તેણે હિઝબુલ્લાહના 300 થી વધુ સ્થાનો પર હુમલો કર્યો. સ્કાય ન્યૂઝ અનુસાર લેબનોનના સિડોનની બહારના વિસ્તારમાં ઓછામાં ઓછા ત્રણ હુમલા કરવામાં આવ્યા છે.


ઈઝરાયલ ડિફેન્સ ફોર્સના પ્રવક્તા ડેનિયલ હગારીએ જણાવ્યું કે હુમલા પહેલા ઈઝરાયેલે નજીકમાં રહેતા લોકોને તેમના ઘર ખાલી કરવા ચેતવણી આપી હતી. ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે ઈઝરાયેલ દ્વારા નિશાન બનાવવામાં આવેલા ઠેકાણાઓમાં હિઝબુલ્લાહના શસ્ત્રો અને રોકેટ છુપાયેલા છે.


વડા પ્રધાને શું કહ્યું?

ઇઝરાયેલ છેલ્લા પાંચ દિવસથી લેબેનોન પર હુમલો કરી રહ્યું છે. લેબનોન અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઇઝરાયેલ હુમલો ઓક્ટોબરથી કરવામાં આવેલા હુમલાઓમાં સૌથી ઘાતક હતો. ઈઝરાયેલના કાર્યવાહક વડાપ્રધાન નજીબ મિકાતીએ આ હુમલાને નરસંહાર ગણાવ્યો છે. બેરૂતમાં કેબિનેટની બેઠકમાં પીએમ નજીબ મિકાતીએ કહ્યું, 'ઈઝરાયેલના હુમલાનો ઉદ્દેશ્ય લેબનીઝ નગરો અને ગામડાઓને નષ્ટ કરવાનો છે. ઇઝરાયેલ કહી રહ્યું છે કે તે હિઝબુલ્લાહના હથિયારો ધરાવતી ઇમારતોને નિશાન બનાવી રહ્યું છે. તેનો ધ્યેય છે કે હુમલા થાય તે પહેલા તે તમામ શસ્ત્રોનો નાશ કરવાનો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application