ભારે વરસાદને કારણે આજી–૧ ડેમ ઓવરફલો થતાં આજી નદીમાં ઘોડાપુર આવેલ. આ પુરના કારણે આજી નદીમાં આવેલ રામનાથ મહાદેવ મંદિર પરિસરમાં મોટા પ્રમાણમાં કચરો આવતા મંદિર પરિસરમાં ગંદકી થઇ હતી. દરમિયાન ગઈકાલથી મંદિર પરિસર આસપાસ પાણીના વહેણ ધીમા પડતા રાજકોટ મહાનગરપાલિકા દ્રારા તાત્કાલિક ધોરણે મંદિર પરિસરની સંપૂર્ણ સઘન સફાઈ કરવા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની ટીમો કાર્યરત કરવામાં આવેલ. આ ટીમમાં ૫૦ સફાઈ કર્મચારીઓ, ૨–જે.સી.બી. અને ડમ્પર દ્રારા મંદિર પરિસર આસપાસ આવેલ કચરાના ઢગલા, ગાંડી વેલ, પ્લાસ્ટિક વગેરે સહિત ૫૦ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
આ સઘન સફાઈ ઝુંબેશ કામગીરીની ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા, સેનિટેશન સમિતિ ચેરમેન નીલેશભાઈ જલુ, એસ્ટેટ સમિતિ ચેરમેન મગનભાઈ સોરઠીયા, બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન કંકુબેન ઉઘરેજા, પૂર્વ મેયર ડો. પ્રદીપ ડવ, પૂર્વ શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, કોર્પેારેટર જયશ્રીબેન ચાવડા, સંજયસિંહ રાણા, જીતુભાઈ કાટોડીયા, વિનુભાઈ સોરઠીયા, અગ્રણી જીતુભાઈ મહેતા,નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ, પર્યાવરણ ઈજનેર નીલેશભાઈ પરમાર અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના અધિકારીઓ–કમર્ચારીઓ વગેરેએ મુલાકાત લીધી હતી.
આ મુલાકાત વેળાએ પદાધિકારીઓ દ્રારા જર જણાયે સફાઈ કર્મચારીઓ તથા સાધન સામગ્રી વધારી આ સફાઈ કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા અધિકારીઓને સુચના આપવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાખરમાં નવરાત્રીની પ્રથમ રાત્રે ભાભીની હત્યા નિપજાવનાર આરોપી દિયર ઝડપાયો
October 05, 2024 12:49 PMતિહારમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા યાસીન મલિકનું સોગંદનામું, કહ્યું-“હવે હું ગાંધીવાદી છું”
October 05, 2024 12:20 PMશું ગધેડો બિગ બોસ શોનો બનશે ભાગ? જાણો શું છે મામલો
October 05, 2024 12:16 PMઆમિર ખાન પ્રોડક્શનની લાપતા લેડીઝ જાપાનમાં રિલીઝ
October 05, 2024 12:16 PMહું તો મીરાનો બીજો પતિ છું: શાહિદ કપૂર
October 05, 2024 12:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech