શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત, સૂર્યકુમાર યાદવને T20ની કમાન

  • July 18, 2024 09:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

BCCIએ ગુરુવારે સાંજે શ્રીલંકા પ્રવાસ માટે ODI અને T20 ટીમની જાહેરાત કરી હતી. રોહિતની T20Iમાંથી નિવૃત્તિ બાદ કેપ્ટનશિપ પર ચાલી રહેલી ચર્ચા પર પૂર્ણવિરામ આવી ગયો છે. T20I સૂર્યકુમાર યાદવ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે.


વિરાટ કોહલીએ વન-ડેમાં બ્રેક લીધાના સમાચાર પર પણ પૂર્ણ વિરામ આવી ગયું છે. વિરાટને શ્રીલંકા પ્રવાસ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જો કે ઝડપી બોલર જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યા પાસેથી વાઇસ કેપ્ટન્સી છીનવાઈ ગઈ છે. હાર્દિકની જગ્યાએ શુભમન ગિલને વનડે અને ટી-20નો નવો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.


શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમ

T20 ટીમઃ 

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ, રિયાન પરાગ, રિષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ખલીલ અહેમદ, મોહમ્મદ સિરાજ.


ODI ટીમઃ 

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), શ્રેયસ અય્યર, શિવમ દુબે, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, રિયાન પરાગ, અક્ષર પટેલ, ખલીલ અહેમદ, હર્ષિત રાણા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application