જામનગરમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ફિઝિયોથેરેપી નિદાન કેમ્પ યોજાયો...
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જામનગર દ્વારા શહેરમાં સેતાવડ ગુલાબકુંવરબા હોસ્પિટલમાં અદ્યતન ફિઝિયોથેરેપી સેન્ટર તેમજ ડેન્ટલ કેર ક્લિનિકમાં સેવા પ્રદાન કરવામાં આવી રહી છે. હાલમાં તા ૦૬/૦૪/૨૦૨૪ ને શનિવારે ના રોજ વિશેષથી અમદાવાદથી આવેલ મિશન હેલ્થની ટીમ દ્વારા સ્નાયુની વિવિધ તકલીફ તેમજ કમર સંલગ્ન સમસ્યાઓ માટે એક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આ કેમ્પમાં ૧૨૩ થી વધુ દર્દીઓએ લાભ લીધેલ. હાડકાં અને જોઈન્ટને લગતી દરેક સમસ્યાના નિરાકરણ માટે ઓપરેશન જરૂરી નથી પરંતુ આધુનિક ઉપકરણો તેમજ કસરતની ટેકનીક તથા ફિઝિયોથેરેપી ટ્રીટમેન્ટથી ધણી તકલીફોમા રાહત મળી શકે છે. આ કેમ્પમાં હાડકાની તકલીફ, સ્નાયુઓનો દુખાવો તથા જોઈન્ટને લગતી સમસ્યાનો નું નિદાન કરીને લોકોને સારવાર સુચવવામાં આવેલ છે. આવી તકલીફથી પિડાતા લોકોને ઓપરેશન ખર્ચ વગર યોગ્ય સારવારથી સારું થઇ શકે તેવા હેતુથી આ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ. આ ઉપરાંત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ગુલાબકુંવરબા ઇન્ફ્રન્સ્ટ્સ વેલ્ફેર એસોસિયેશન, સેતાવાડ ખાતે અદ્યતન ફિઝિયોટેરેપી તથા ડેન્ટલ કેર સેવા પ્રદાન કરવામાં આવી રહી છે. જેનો વધુ માં વધુ લાભ લેવા પણ લોકો ને અનુરોધ કરવામાં આવેલ.
આ તબ્બકે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જામનગરના ચેરમેન બિપીનભાઈ ઝવેરી, વાઇસ ચેરેમેન ડો. અવિનાશભાઈ ભટ્ટ, ટ્રેઝરર હરેન્દ્રભાઈ ભાડલાવાળા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, કિરીટભાઈ શાહ, ડો કલ્પનાબેન ખઢેરિયા, પિંક ફાઉન્ડેશન તથા શ્રી ઉર્મિબેન મહેતા ફિઝિયોથેરેપી સેન્ટર ના મુખ્ય દાતા શેતલબેન શેઠ, ઔઙડિઝાસ્ટરે મેન્જમેન્ટ કમિટી ના ચેરમેન ભાર્ગવ ઠાકર, અવનીબેન ત્રિવેદી, મનોજ મણિયાર,ડો વિહારી છાટબાર કાજલબેન ગ્યાનયાની જયશ્રીબેન જોશી, રેખાબેન જોશી, હર્ષાબેન રાવલ, ભરતભાઈ દવે અજીતસિંહ જાડેજા ઝાલા ઘનશ્યામસિહ નિકુલ ગઢવી, સહિત તજજ્ઞ તબીબો ડો. ધ્યેય કેશોર, ડો. રેશમાબેંન સોની, નીરવભાઈ શુક્લ, મિશન હેલ્થના ડાયરેકટર ડો ગૌરાંગ મહેતા અને તેની ટીમ ઉપસ્થિત રહ્યા હતા. આશરે ૧૩૦ જેટલા દર્દીઓ એ કેમ્પમાં ક્રિટીકલ સમસ્યાઓ મુદ્દે નિદાન મેળવેલ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનવરાત્રિ દરમિયાન સિંહ સહિત આ 4 રાશિઓનું ચમકશે ભાગ્ય, આર્થિક બાબતોમાં રહેવું સાવધાન
October 05, 2024 09:28 AMછત્તીસગઢમાં મોટું એન્કાઉન્ટર, અત્યાર સુધીમાં 32 નક્સલવાદીના મોત, હથિયારોનો મળી આવ્યો જથ્થો
October 04, 2024 09:28 PMકલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની યોજાઈ બેઠક
October 04, 2024 09:01 PMરાજ્યભરની આરટીઓમાં શનિવાર 5 ઓક્ટોબરે ટ્રેક ડ્રાઈવિંગ ટેસ્ટ નહીં લેવાય
October 04, 2024 08:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech