ગાંધીનગરમાં ભારતીય વિજ્ઞાન, શિક્ષણ અને સંશોધન સંસ્થા સ્થપાશે: કેન્દ્ર સરકારની મંજૂરી

  • September 27, 2024 10:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશમાં અત્યાર સુધી ભારતીય વિજ્ઞાન શિક્ષણ અને સંશોધન સંસ્થા (આઈઆઈએસઈઆર) પુણે, ભોપાલ, મોહાલી, કોલકાતા, તિવનંતપુરમ, તિપતિ અને બેરહમપુર ખાતે સાત આઈઆઈએસઈઆરએસની સ્થાપના કરવામાં આવી છે.તે હવે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આકાર લેવા જઈ રહી છે આ માટેની મંજૂરી ભારત સરકાર દ્રારા આપી દેવામાં આવી છે ગાંધીનગરના નોલેજ કોરીડોર તરીકે ઓળખાતા વિસ્તાર એનઆઈડી એનઆઈએફટી ની આસપાસ આ ઇન્સ્િટટૂટ આકાર લેશે.
રાયનું પાટનગર ગાંધીનગર નજીકના ભવિષ્યમાં પ્રતિિ ત ભારતીય વિજ્ઞાન શિક્ષણ અને સંશોધન સંસ્થા નું નવુ ઘર ગાધીનગર બનવાની તૈયારીમાં છે. ભારત સરકાર (ગોલ) એ તાજેતરમાં ગાંધીનગર ખાતે સંસ્થાની સ્થાપના માટે મંજૂરી આપી છે, બાકીની ઔપચારિકતાઓ અને સત્તાવાર જાહેરાત આગામી થોડા અઠવાડિયામાં થવાની ધારણા છે, એમ રાય સરકારના વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું.
પીઆઈએસઈઆરએસ એ પ્રાકૃતિક વિજ્ઞાનમાં શિક્ષણ અને સંશોધન માટે અને અંડરગ્રેયુએટ સ્તરે સંશોધન સાથે સંકલિત મૂળભૂત વિજ્ઞાનમાં કોલેજિયેટ શિક્ષણ પ્રદાન કરવા માટે કેન્દ્ર સરકાર દ્રારા સ્થાપિત સ્વાયત્ત સંસ્થાઓનું એક જૂથ છે. દેશમા આવી સાત સંસ્થાઓ હાલમાં કાર્યરત છે
સૂત્રોના જણાવ્યા અનુસાર, ૨૦૦૮માં આઈઆઈટી (ઇન્ડિયન ઇન્સ્િટટૂટ આફ ટેકનોલોજી), ગાંધીનગરની રચના થઈ ત્યારથી, શહેરમાં રાષ્ટ્ર્રીય કે આંતરરાષ્ટ્ર્રીય ખ્યાતિ ધરાવતી કોઈ મોટી સંસ્થાની સ્થાપના થઈ નથી. એક દાયકાથી વધુ સમયના વિરામ પછી, ભારત સરકાર દ્રારા ભારતીય વિજ્ઞાન અને સંશોધન સંસ્થાન સ્થાપવાની ગુજરાત સરકારની લાંબા સમયથી ચાલતી વિનંતીને સ્વીકારવામાં આવી છે. પ્રાથમિક જરિયાતને પૂર્ણ કરવા માટે જમીનના સંદર્ભમાં, ગુજરાત સરકારે નેશનલ ઇન્સ્િટટૂટ આફ ડિઝાઇન (એનઆઈડી), નેશનલ ઇન્સ્િટટૂટ આફ ફેશન ટેકનોલોજી (એનઆઈડી) અને ગાંધીનગરમાં ઇન્ફોસિટીની નજીકમાં સરકારી જમીનની ફાળવણી કરવાનો પ્રસ્તાવ મૂકયો છે. રાય સરકારે જર પડે ગાંધીનગર નજીક વધારાની જમીન આપવાની તૈયારી પણ દર્શાવી હોવાનુ સૂત્રોએ જણાવ્યું હતું.
ગાંધીનગરમાં આઈઆઈએસઈઆર ની સ્થાપના માટે ગોલની સૈદ્ધાંતિક મંજૂરી અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે મોટાભાગનું રોકાણ ભારત સરકાર દ્રારા ઉઠાવવામાં આવશે, યારે રાય સરકાર મફતમાં જમીન પ્રદાન કરશે. આઈઆઈએસઈઆર ફિઝિકસ, બાયોલોજી અને કેમિસ્ટ્રી જેવા વિજ્ઞાનના અધતન અભ્યાસક્રમો તેમજ નવા યુગના અભ્યાસક્રમો ચલાવશે. સંસ્થા શૈક્ષણિક હેતુઓ અને બંને હેતુઓ માટે નોંધપાત્ર સંશોધન પ્રવૃત્તિઓ પણ હાથ ધરશે.
 જો વિનંતી કરવામાં આવે તો, સૂચિત  આઈઆઈએસઈઆરને રાય સરકાર દ્રારા વિશેષ પ્રોત્સાહનો આપવામાં આવી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સ્થાનિક ઉધોગો અને સ્ટાર્ટઅપ્સ સાથેનો સહયોગ રાયમાં શુદ્ધ સંશોધન આધારિત ઔધોગિક વિકાસ માટે નવી ઇકોસિસ્ટમના નિર્માણમાં ફાળો આપશે. રાય સરકાર પહેલેથી જ શૈક્ષણિક અને ઔધોગિક સંગઠનો દ્રારા વૈજ્ઞાનિક સંશોધનને પ્રોત્સાહન આપવા માટે નવી નીતિ ઘડવાની પ્રક્રિયામાં છે અને આઈઆઈએસઈઆરની હાજરી રાયને પણ નોંધપાત્ર પ્રોત્સાહન આપશે, સૂત્રોએ ઉમેયુ.
અહી નોધવુ જરી છે કે હાલ દેશમાં પુણે, ભોપાલ, મોહાલી, કોલકાતા, તિવનંતપુરમ, તિપતિ અને બેરહમપુર ખાતે સાત આઈઆઈએસઈઆરએસની સ્થાપના કરવામાં આવી છે.હવે ગુજરાતમા આ સંસ્થા આકાર લેશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application