રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શકિતકાંત દાસે શુક્રવારે સિંગાપોરમાં એક આંતરરાષ્ટ્ર્રીય ફોરમમાં જણાવ્યું હતું કે, ભારતમાં ઓછામાં ઓછા ૭.૫ ટકા વૃદ્ધિની ક્ષમતા છે. આ અંદાજ ચાલુ નાણાકીય વર્ષ, (એફવાય૨૫) માટે ભારતીય રિઝર્વ બેંકના ૭.૨ ટકા વૃદ્ધિના અંદાજ કરતાં થોડો વધારે છે.
બ્રેટન વુડસ કમિટીના વાર્ષિક યુચર ઓફ ફાઇનાન્સ ફોરમમાં તેમના સંબોધન દરમિયાન દાસે કહ્યું કે, મને લાગે છે કે આજે ભારતની સંભવિત વૃદ્ધિ... લગભગ સાડા સાત ટકાથી વધુ છે. ભારતીય રિઝર્વ બેંકે કહ્યું કે, ફોરમનું આયોજન સ્વિસ બેંક યુબીએસના સહયોગથી સિંગાપોરમાં કરવામાં આવ્યું હતું.
દાસે કહ્યું કે, આ વર્ષે, અમે વર્ષના અંતમાં ૭.૨ ટકાના વિક્રમી વૃદ્ધિની અપેક્ષા રાખીએ છીએ. એપ્રિલ–જૂન કવાર્ટરમાં ભારતે વાર્ષિક ધોરણે ૬.૭ ટકાનો ધીમો વિકાસ દર અનુભવ્યો હતો. તેનું કારણ લોકસભા ચૂંટણીને કારણે સરકારી ખર્ચમાં ઘટાડો હતો. આ દર ભારતીય રિઝર્વ બેંકના ૭.૧ ટકાના અંદાજ કરતા ઓછો હતો. 'જોખમો વૃદ્ધિની આગાહીની આસપાસ સંતુલિત છે'
દાસે જણાવ્યું હતું કે, વિકાસની આગાહીની આસપાસના જોખમો સંતુલિત છે, જે મજબૂત માઈક્રોઈકોનોમિક ફંડામેન્ટલ્સ દ્રારા સમર્થિત છે, જેમાં ખાનગી વપરાશ અને રોકાણ મુખ્ય ચાલક છે.
તેમને કહ્યું કે, ફગાવો એપ્રિલ ૨૦૨૨માં ૭.૮ ટકાની તેની ટોચથી ઘટીને ૪ ટકાના લયની આસપાસ સહનશીલતા બેન્ડ પર આવી ગયો છે, પરંતુ અમારે હજુ પણ અંતર કાપવાનું છે અને અમે બીજી રીતે જોવાનું જોખમ ઉઠાવી શકીએ નહીં.
ચાલુ નાણાકીય વર્ષ માટે, ભારતીય રિઝર્વ બેંકે ફુગાવો ઘટાડી ૪.૫ ટકા રહેવાનો અંદાજ લગાવ્યો છે. તેમને એવો પણ અંદાજ લગાવ્યો છે કે, આગામી નાણાકીય વર્ષ ( એફવાય ૨૬)માં સામાન્ય ચોમાસાની સ્થિતિમાં અથવા કોઈ બાહ્ય કે નીતિગત ઝટકાની સ્થિતિમાં સરેરાશ ફુગાવાનો દર ઘટીને ૪.૧ ટકા થઈ શકે છે.
દાસે જણાવ્યું હતું કે, સેવાઓની નિકાસમાં વધારો થયો છે, પરંતુ નબળી બાહ્ય માંગને કારણે મર્ચેન્ડાઇઝ નિકાસ વૃદ્ધિ અપેક્ષા કરતાં ઓછી રહી છે. તેમણે સંતુલિત વૃદ્ધિની આગાહીને સમર્થન આપતા પરિબળો તરીકે રાજકોષીય એકત્રીકરણની પ્રગતિ, જાહેર દેવામાં ઘટાડો અને કોર્પેારેટ કામગીરીમાં સુધારા પર પણ ભાર મૂકયો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ડેંગ્યુથી મહિલાનું મોત: આરોગ્ય વિભાગ નિંદ્રામાં
September 19, 2024 12:21 PMજૂનાગઢ ભાજપનું આખું કાર્યાલય જ ગેરકાયદે: પૂર્વ મંત્રીનો પત્ર વાયરલ
September 19, 2024 12:18 PMઆવતા મહિનાથી સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં તમામ ટોપ હેડ પોસ્ટ ઇન્ચાર્જના હવાલે
September 19, 2024 12:14 PMસૌરાષ્ટ્ર્ર અને કચ્છમાં ધોમ ધખતો તાપ: વરસાદ છૂમંતર થઈ ગયો
September 19, 2024 12:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech