વજન ઝડપથી ધટાડવા ડાયટમાં સામેલ કરો આ વસ્તુ

  • August 20, 2024 04:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શરીરના વજનમાં વધારો ઘણી સમસ્યાઓનું કારણ બની જાય છે. જો વજન ખૂબ વધી જાય તો ચાલવામાં અને કામ કરવામાં મુશ્કેલી થાય છે.સ્થૂળતા પોતાની સાથે અનેક રોગો પણ લાવે છે. જો તમે પણ વધતા વજનથી પરેશાન છો, તો વજન ઘટાડવા માટે તમારા આહારમાં કેટલાક ખાસ ખોરાકનો સમાવેશ કરો.જે ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે.


ઈંડા

ઈંડાને વજન ઘટાડવામાં ખૂબ મદદરૂપ માનવામાં આવે છે. હાઈ પ્રોટીન અને ફેટથી ભરપૂર ઈંડા ખાવાથી પેટ ભરેલું લાગે છે. 50 મેદસ્વી લોકો પર કરવામાં આવેલા સંશોધનમાં જોવામાં આવ્યું કે નાસ્તામાં ઈંડા અને બટર ટોસ્ટ ખાવાથી 4 કલાક સુધી ભૂખ લગતી નથી, તેથી વજન ઘટે છે.


લીલા પાંદડાવાળા શાકભાજી


પાલક અને લીલા પાંદડાવાળા શાકભાજીમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર અને પોષક તત્વો હોય છે, જે ખાવાથી પેટ ભરેલું રહે છે . લીલા પાંદડાવાળા શાકભાજીમાં થાઇલાકોઇડ્સ પણ હોય છે જેનું કાર્ય ભૂખને સંતુલિત કરવાનું છે .


માછલી


માછલીમાં ઉચ્ચ પ્રોટીન, તંદુરસ્ત ચરબી અને અન્ય ઘણા પોષક તત્વો હોય છે. આ બધી વસ્તુઓ વજનને સંતુલિત રાખવામાં મદદ કરે છે.વજન ઘટાડવા માટે, શેકેલી માછલી ખાઓ. જેનાથી શરીરને પ્રોટીન મળે છે .


કઠોળ


કઠોળનું સેવન વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે. તેમાં પ્રોટીન અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે જે વજન ઘટાડવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.


બદામ


બદામ અને અખરોટ હૃદયને તંદુરસ્ત રાખે છે.તે અસંતૃપ્ત ચરબીથી ભરપૂર હોય છે. આ પ્રોટીન, ફાઇબર અને અન્ય પોષક તત્વોના સારો સ્ત્રોત છે.


ઘણા સંશોધનોમાં એવું જોવામાં આવ્યું છે કે અખરોટનું સેવન આપણા ચયાપચયને ઝડપી બનાવે છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે. પરંતુ જો અખરોટ વધુ માત્રામાં ખાવામાં આવે તો તેની વિપરીત અસર થઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application