રાત્રિભોજનમાં આ વસ્તુઓનો સમાવેશ કરો, જે વજન ઘટાડવામાં કરશે મદદ

  • August 19, 2024 09:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજના સમયમાં બદલાતી જીવનશૈલી અને ખરાબ ખાનપાનને કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેમાં સ્થૂળતાનો પણ સમાવેશ થાય છે. સ્થૂળતા એક તબીબી સ્થિતિ છે. જેમાં વ્યક્તિના શરીરમાં વધારાનું વજન અને વધારાની ચરબી હોય છે. જો પરિવારમાં કોઈને પહેલાથી જ સ્થૂળતાની સમસ્યા હોય તો અન્ય લોકોને પણ સ્થૂળતાનો ખતરો હોય શકે છે. હાઈપોથાઈરોઈડિઝમ, ડિપ્રેશન કે અન્ય કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાને કારણે પણ સ્થૂળતાની સમસ્યા થઈ શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન વજન વધવું સામાન્ય બાબત છે. ડિલિવરી પછી કેટલીક સ્ત્રીઓ માટે વજન ઓછું કરવું મુશ્કેલ બની જાય છે.


વધતું વજન પાછળથી સ્થૂળતા તરફ દોરી શકે છે પરંતુ જો બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી સ્થૂળતાનું કારણ છે તો જીવનશૈલીમાં ફેરફારો કરવા યોગ્ય રહેશે. જેમ કે સ્વસ્થ આહાર લેવો, કસરત કરવી, યોગ્ય ઊંઘ લેવી અને સ્ટ્રેસનું સંચાલન કરવું. આજકાલ ઘણા લોકો વજન ઘટાડવા વિવિધ પ્રકારના આહાર લે છે અને કસરતો કરે છે. હેલ્ધી ડિનર ઓપ્શન્સ વિશે જણાવ્યું છે જે વજન ઘટાડવામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે.


સોમવાર


સોમવારે રાત્રિભોજનમાં ચણા અને કાકડી અને ટામેટાના સલાડ સાથે બાફેલા ચોખા લો. આ ઘરે બનાવેલ દેશી ફૂડ છે જે કોઈપણ સરળતાથી તૈયાર કરી શકે છે.


મંગળવાર


મંગળવારે મગની દાળના ચિલા અને 50 ગ્રામ ઓછ ફેટવાળા દહીં સાથે મિશ્ર શાકભાજીનું સલાડ લો.


બુધવાર


50 ગ્રામ પનીર સાથે દૂધીનું શાક અને પાલક શ્રેષ્ઠ વિકલ્પ રહેશે.


ગુરુવાર


ટોફું બેલ મરચા, મશરૂમ અને બ્રાઉન રાઇસ મિક્સ વેજીટેબલ. પરંતુ ધ્યાન રાખો કે તેને રાંધવા માટે વધારે તેલનો ઉપયોગ ન કરો.


શુક્રવાર


શુક્રવારે 100 ગ્રામ શેકેલા ચણા અને 100 ગ્રામ ભાત. આ સાથે કાકડી અને ટામેટાંનું સલાડ.


શનિવાર


શનિવારે 100 ગ્રામ ભાત સાથે કાકડીનું સલાડ લેવાની સલાહ આપવામાં આવે છે.


રવિવાર


રવિવારે રાંધેલા સોયાબિન સાથે ફ્લાવરઅને થોડી માત્રામાં ગ્રીન સલાડ લેવું.


આ સાથે  વજન ઘટાડવા માટે, નિષ્ણાતો દ્વારા જણાવવામાં આવેલી આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જેમાં શરીરને હાઇડ્રેટ રાખવું, વધુ કેલરીવાળા ખોરાકને ટાળવો, એટલે કે તમારા શરીરની જરૂરિયાત મુજબ કેલરી લેવાનો સમાવેશ થાય છે. આ સાથે શરીરની જરૂરિયાત મુજબ કેલરી અને સંતુલિત આહાર લો.


જો વજન ઓછું કરવું હોય તો નિષ્ણાતો તમને તમારા શરીર પ્રમાણે યોગ્ય ડાયટ ચાર્ટ સૂચવી શકે છે. તેથી વજન ઘટાડવા માટે નિષ્ણાત સાથે વાત કરો, તે જરૂરિયાત મુજબ યોગ્ય સલાહ આપશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application