વણિક વેપારીના બધં મકાનમાં લાખોની ચોરીમાં તસ્કર સકંજામાં

  • July 10, 2024 03:10 PM 


શહેરના કરણપરા શેરી નં.૧૩૧૪ના કોર્નર પર સિધ્ધાર્થ મકાનમાં રહેેતા વણિક વેપારીના બધં મકાનમાં ગઈકાલે રાત્રે ૨૦ તોલા સોનુ, સાડાત્રણ કિલો ચાંદી, ૭૫૦૦૦ની રોકડ મળી થયેલી લાખોની ચોરી (પોલીસ ફરિયાદના ભાવ મુજબ ૯.૫૦ લાખ)માં ક્રાઈમ બ્રાંચે તસ્કરને શકંજામાં લીધો હોવાનું જાણવા મળે છે.
સાંગણવા ચોકમાં સિધ્ધાર્થ ટ્રેડર્સ નામે ઈલેકટ્રીક સામાનના વેપારની પેઢી ધરાવતા કોકીનભાઈ દિલીપભાઈ શાહે ઘરમાં ફર્નિચરમાં ઉધઈ થઈ ગઈ હોવાથી ઉધઈની દવા પેસ્ટિંગ ગત શનિવારે કરાવી હતી દવાની વાસના કારણે ઘર બધં કરી નજીકમાં કરણપરા મેઈન રોડ પર રહેતા ફૈબાના ઘરે પત્ની, પરિવાર સાથે રહેવા ગયા હતા. દરમિયાનમાં ગઈકાલે સવારે ઘરે આવતા મુખ્ય ડેલીનું તાળું ખોલી અંદર જતાં ફળિયામાં ચલણી નોટો પડી હતી.
મુખ્ય દરવાજાના સેફટી કોરનો લોક તૂટેલો હતો. અંદર ઘરમાં જતાં ઉપરના માળે વસ્તુઓ વેરવિખેર હતી. ૨૦ તોલા સોના ઘરેણા, ચાંદીની ૩.૫૦ કિલોની પાટ, ૭૫૦૦૦ની રોકડ ગુમ હતી. લાખોની મતાની ચોરી થઈ હોવાની જાણ થતાં પોલીસ અધિકારીઓ, સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે તાળામેળ કરી ૯.૫૦ લાખની ચોરી થયાની ફરિયાદ નોંધી હતી. કેમેરામાં એક શકસ વહેલી સવારે મકાનમાં દેખાયો હતો. પોલીસની અલગ અલગ ટીમોએ ગઈકાલે મોડી સાંજ સુધી કેમેરાઓ ચેક કર્યા હતા. જેમાં મકાનથી એકિટવા જેવા ટુ–વ્હીલર પર ગુંદાવાડી તરફ જતો એક શખસ દેખાયો હતો.
સીસીટીવી તથા અન્ય આધારે ક્રાઈમ બ્રાંચને તસ્કર સુધી પહોંચવામાં સફળતા મળી હોવાનું જાણવા મળે છે. જો કે, સત્તાવાર રીતે આવું કાંઈ જાહેર કરાયું નથી અને તપાસ ચાલુ હોવાના ગાણા ગવાયા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application