પોરબંદરમાં માહી ગ્રુપ દ્વારા જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ૧૫૧ જેટલા પરિવારોને મીઠાઈ કીટ અને ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પોરબંદરની ધાર્મિક સામાજિક શૈક્ષણિક આર્થિક મેડિકલ અને પશુ પક્ષીઓ માટે સતત સેવાના કાર્ય કરતી સંસ્થા માહી ગ્રુપના સભ્યો દ્વારા દરેક ધાર્મિક તહેવારોની ઉજવણી વિવિધ સેવા કાર્યોના આયોજન દ્વારા થતી હોય છે ત્યારે આવનારા જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ પોરબંદરના અતિ જરૂરિયાતમંદ ૧૫૧ પરિવારના લોકોને માહી ગ્રુપના સભ્યો દ્વારા દાતાઓના સહયોગથી, ઘરે ઘરે જઈ અને તેમજ માહી ગ્રુપ કાર્યાલય ખાતેથી ફરસાણ અને મિષ્ટાન ની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં માહી ગ્રુપના પથદર્શક માર્ગદર્શક ડોક્ટર સુરેશભાઈ ગાંધી, માહી ગ્રુપના સેવાભાવી પ્રમુખ કમલભાઈ ગોસલીયા, ટ્રસ્ટી ઘનશ્યામભાઈ મહેતા, ડોક્ટર સુરેખાબેન શાહ, સહિત અન્ય દાતાઓનો ખાસ સહયોગ મળ્યો હતો અને આ મિષ્ઠાન અને ફરસાણની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં માહી ગ્રુપના સેવાભાવી સભ્યો ડોક્ટર ભરતભાઈ ગઢવી અનિલભાઈ બથીયા જયેશભાઈ પાઉં સહિત અન્ય સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, અને સેવાકાર્યોનો લાભ લીધો હતો અને જરૂરિયાત મંદ પરિવારના લોકોના ઘરે ઘરે જય અને ફરસાણ મિષ્ઠાનની કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું,.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહજારો પશુપાલકો અને દૂધ મંડળીઓ માટે રાજકોટ દૂઘ સંઘે મહત્વનો નિર્ણય લીધો, જાણો શું લાભ મળશે
April 11, 2025 06:11 PMમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PM૩ મહિનામાં ૩ ઘર બદલવા પડ્યા, ભાડું નક્કી થઈ જાય પણ 'રૂમમેટ'ને જોતા જ મકાનમાલિક ભગાડી દે છે!
April 11, 2025 05:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech