નાઘેડીમાં પુછયા વગર પાડો કેમ લઇ ગયા તેમ કહેતા શખ્સો તુટી પડયા

  • February 10, 2024 12:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માલધારી યુવાનને ધોકા-ઢીકાપાટુનો માર મારી ધમકી દીધી

જામનગર તાબેના નાઘેડી ગામમાં તળાવ પાસે રહેતા માલધારી યુવાનને ધોકા અને ઢીકાપાટુનો માર માર્યાની ૩ સામે ફરીયાદ કરવામાં આવી છે. પુછયા વગર કેમ પાડો લઇ ગયા તેમ કહેતા આરોપી વિફર્યા હતા.
જામનગર નજીક નાઘેડી ગામ લહેર તળાવ પાસે રહેતા માલધારી લખરાજ છગનભાઇ સુમાત (ઉ.વ.૩૫) એ પંચ-બીમાં ગઇકાલે લહેર તળાવ પાસે રહેતા બહાદુર જેમલ સુમાત, જગુ જેમલ સુમાત અને કલા જેમલ સુમાત નામના ત્રણ ઇસમ સામે જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદીનો પાડો તેને પુછયા વગર લઇ જતા લખરાજભાઇએ મને પુછયા વગર કેમ પાડો લઇ ગયા તેમ કહેતા આરોપીએ ઉશ્કેરાઇ ફરીયાદીને ધોકા વડે માર માર્યો હતો તેમજ ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી. ફરીયાદ આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application