જૂનાગઢમાં પોલીસ દ્વારા તલાટીના પરીક્ષાર્થી માટે ૧૦ વાહનોની વ્યવસ્થા કરાઈ

  • May 06, 2023 12:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં આવતીકાલે તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાનાર છે ત્યારે ઉમેદવારોને અવરજવરને લઈને મુશ્કેલી ના પડે તે માટે જિલ્લામાં પોલીસતંત્ર દ્વારા ૧૦ ખાનગી વાહનોની વ્યવસ્થા અને હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે.આવતીકાલે મજેવડી દરવાજા ખાતે બસ, સરદાર જીમખાના પાસે ખાનગી વાહન, એસટી સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, મોતી બાગ પોઈન્ટ, મધૂરમ બાયપાસ ચોકડી ખાતે ખાનગી મોટર કાર, સાબલપુર ચોકડી ખાતે બસ, એસટી સ્ટેન્ડ, વંથલી અને કેશોદ ખાતે સિટી રાઈડ બસ, કેશોદ ચાર ચોક ખાતે ખાનગી વાહન રાખવામાં આવશે.
આ ઉપરાંત ઉમેદવારોને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા પોલીસ કન્ટ્રોલ નં.૦૨૮૫-૨૬૩૦૬૦૩, ૧૦૦ નંબર અને ૦૨૮૫-૨૬૩૬૦૩૨ નંબર હેલ્પલાઈન નંબર તરીકે રાખવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application