જૂનાગઢ મહાનગરપાલિકા દ્રારા વણઝારી ચોકમાં પાણીની લાઈન નાખવા રસ્તો તોડવામાં આવી રહ્યો છે. આજે સવારે પાણીની લાઈનમાં ભંગાણ થતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.હાલ વણઝારી ચોક થી નવાનગર વાડા તરફ જતા રસ્તે પાણીની લાઈન નાખવા માર્ગેાને તોડવામાં આવી રહ્યા છે.કોન્ટ્રાકટરોની રાહબારીમાં તમામ કામગીરી થતી હોવાથી રસ્તાઓનો કચ્ચરધાણ થઈ રહ્યો છે.મનપાના અધિકારીઓના સુપર વિઝન વગર જ કામગીરી થતી હોવાથી અન્ય લાઈનોમાં પણ ભંગાણ થઈ રહ્યું છે.આજે સવારે પાણીની લાઈન નાખવા હયાત પાણીની લાઈન તૂકાવાચોકમાંટી જતા માર્ગેા પર પાણીની રેલમ છેલમ સર્જાઇ હતી. એક તરફ રસ્તાઓ તોડવાથી માટીના થરો નાખવામાં આવ્યા છે. તો બીજી તરફ પાણીના કારણે કાદવ કીચડ થી વેપારીઓ અને રાહદારીઓને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. જેથી લોકો દ્રારા વિકાસલક્ષી કામગીરી વિવિધ વિભાગોના અધિકારીઓના સુપરવાઇઝન હેઠળ જ કામગીરી થાય તેવી માંગ કરવામાં આવી છે.અગાઉ કાળવાચોક થી માંગનાથ રોડ તરફ જતા રસ્તાને તોડતી વખતે બીએસએનએલ ની લાઈનો પણ તૂટી હતી યારે આજે વણઝારી ચોકમાં પાણીની લાઈનમાં ભંગાણ થતા રાહદારીઓ અને વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઇઝરાયેલમાં અંધાધૂંધ ગોળીબારમાં મહિલાનું મોત, અનેક ઘાયલ
October 06, 2024 08:27 PMIND W vs PAK W: ભારતીય ટીમે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું
October 06, 2024 08:25 PMનરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના સફળ 23 વર્ષ પૂર્ણ
October 06, 2024 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech