બીજા રાઉન્ડનું વાવણી કાર્ય પૂર્ણાતાની આરે: ૩ દિવસ વરસાદની આગાહી
જામનગર સહિત સમગ્ર હાલારમાં ગઇકાલે સાંજે ૪૫ કિ.મી.ની ઝડપે પવન ફુંકાતા લોકોને ગરમીથી રાહત થઇ હતી, એક તરફ પાક નિષ્ફળ જતાં ખેડુતો મગફળી અને કપાસનું વાવેતર ફરીથી કરી રહ્યા છે, ઉઘાડ પણ નિકળ્યા છે, પરંતુ કેટલાક ગામડાઓમાં વાદળીયું વાતાવરણ પણ જોવા મળ્યું છે, જો કે હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી ચાર દિવસ વરસાદ નહીં આવે એટલે કે માત્ર ઝાપટા પડશે, ખેડુતો હાલ તો મગફળી અને કપાસના વાવેતરમાં પુરજોશમાં લાગી ગયા છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ રુમના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન ૩૨.૫ ડીગ્રી રહ્યું હતું, લઘુતમ તાપમાન ૨૬ ડીગ્રી, હવામાં ભેજ ૮૪ ટકા અને પવનની ગતિ ૪૦ થી ૪૫ કિ.મી. પ્રતિકલાક રહી હતી.
લગભગ સાડા ત્રણ લાખ હેકટરમાં મગફળી અને કપાસનું વાવેતર થાય છે ત્યારે કેટલુંક વાવેતર ફેલ થયા બાદ ખેડુતો ફરીથી વાવણી કાર્યમાં લાગી ગયા છે, જો કે જમીન ઉપર સારો વરસાદ પડયો છે તેથી આ વખતે બારઆનીથી વધુ સારુ વર્ષ થવાની શકયતા છે.
આજ સવારથી કેટલાક ગામડાઓમાં વાદળીયું વાતાવરણ છે, હાલારમાં ખેડુતો અત્યારે વાવણી કાર્યમાં લાગી ગયા છે, એટલું જ નહીં મગફળી અને કપાસનું વાવેતર જે રીતે થઇ રહ્યું છે તે જોતાં આ વર્ષ સારુ જશે એવી પુરી શકયતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાહુલ ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર, આવતીકાલે સંસદમાં NEET પર ચર્ચાની કરી માંગ
July 02, 2024 05:40 PMઉતરપ્રદેશના હાથરસ નજીક સિકંદરામાં ભોલેબબના સત્સંગ દરમિયાન ભાગદોડમાં 27 લોકોના મોત
July 02, 2024 05:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech