જામજોધપુર પંથકમાં વરસાદના કારણે ઉમિયા સાગર છલકાવાની તૈયારીમાં

  • June 16, 2023 10:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડેમના નિચાણવાળા વિસ્તારમાં વસતા ગ્રામજનોને મામલતદાર ની ટીમ દ્વારા માઈક વડે સલામત રહેવા જાણકારી અપાઇ

જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં આજે બપોર પછીથી પડેલા ધોધમાર વરસાદના કારણે ઉમિયાસાગર ડેમમાં નવા પાણીની આવક થઈ હતી, અને હાલ ડેમ ૯૦ ટકા થી વધુ ભરાઈ ગયો છે, અને છલકાવાની તૈયારીમાં છે. જેથી નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા માટે સૂચના આપવામાં આવી રહી છે.
આજે મોડી સાંજ થી વરસાદ શરૂ થઈ ગયો હતો, અને સાંજે છ વાગ્યા પછીથી બે ઇંચથી પણ વધુ પાણી પડી ગયું હતુંઝ અને હજુ પણ વરસાદી માહોલ છે.
જે વરસાદ ના કારણે ઉમિયા સાગર ડેમ ભરાઈ ગયો છે, અને છલકાવાની તૈયારીમાં છે. ત્યારે જામજોધપુરના મામલતદાર દ્વારા ઉમિયા સાગર ડેમના નીચાણવાળા વિસ્તારમાં માઈક ફેરવવામાં આવી રહ્યું છે, અને લોકોને સલામ સ્થળે રહેવા માટેની સૂચના આપવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application