નવરાત્રીમાં અંધશ્રઘ્ધાની આડમાં ખેલાયો ખુની ખેલ: હચમચાવનારી ઘટના: માતાજીની ધાર્મિક વિધીના બહાને છરી, લાકડી અને દિવાલમાં માથું અથડાવી કરી ક્રુર હત્યા : પિશાચી કૃત્ય આચરનાર બંને આરોપીઓ ઓરડીમાં લાશ પાસે ધુણતા રહયા : દાહોદના આરોપીઓની અટક : પંથકમાં અરેરાટી સાથે ચકચાર
હાલમાં નવરાત્રીનું પર્વ ચાલી રહયું છે, માતાજીની આરાધના કરવાના આ પવિત્ર દિવસોમાં જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના હજામચોરાની સીમમાં અંધશ્રઘ્ધાની આડમાં હચમચાવી નાખનારી ઘટના સામે આવતા પંથકમાં અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી છે, વાડી વિસ્તારમાં રહેતા દાહોદના ભાઇ-બહેને ધાર્મિક વિધીના બહાને નાની બહેનની ક્રુર હત્યા નિપજાવી માનવ બલી ચડાવી દીધાની ચોંકાવનારી ઘટના સામે આવતા દોડધામ મચી ગઇ હતી, પોલીસી પીસાચી કૃત્ય આચરનાર બંને આરોપીઓની ધરપકડ કરી છે, નાની બહેન અપશુકનીયાળ છે એવી માત્ર શંકાના આધારે વિધીના બહાને ઢીમ ઢાળી દીધું હતું એટલું જ નહીં ઓરડીમાં લાશ પાસે બંને કલાકો સુધી ધુણતા રહયા હતા.
અંધશ્રઘ્ધાની અજગરી આંટીમાં સપડાયા બાદ અનેક લોકો બરબાદ થયા છે, અગાઉ અંધશ્રઘ્ધાના કારણે ભોગ લેવાયાના બનાવો સામે આવી ચુકયા છે, ત્યારે ધ્રોલ પંથકમાં વધુ એક બનાવ સામે આવ્યો છે, જેમાં અંધશ્રઘ્ધાની આડમાં ખુની ખેલ ખેલાયો હતો.
જાણવા મળતી વિગત મુજબ ધ્રોલ તાલુકાના હજામચોરામાં બિપીનભાઇ બારૈયાની વાડીમાં રહીને ખેતમજુરી કરતા મુળ દાહોદના વતની રાકેશ છગન તડવી અને તેની બહેન બંનેએ માતાજીના ધાર્મિક વિધીના બહાને પોતાની સગી નાની બહેન શારદા (ઉ.વ.15)ને ઓરડીમાં વિધીના બહાને લઇ જઇ નિર્વસ્ત્ર કરી, લાકડી અને છરીના ઘા ઝીંકી દીધા હતા અને એ પછી દિવાલમાં માથું અથડાવીને ક્રુર હત્યા નિપજાવી હતી, અંધશ્રઘ્ધામાં અંધ બનેલા બંને ભાઇ બહેનો ધુણવા લાગ્યા હતા.
બનાવ બાદ કલાકો સુધી ઓરડીમાં મૃતદેહ પાસે બંને ધુણતા રહયા હતા, એ પછી વાડીવાળાને આ અંગેની જાણ થતા તેમણે ધ્રોલ પોલીસને જાણ કરી હતી, આથી ધ્રોલના પીએસઆઇ પી.જી. પનારા ટીમ સાથે સ્થળ પર દોડી આવ્યા હતા, જયાં હચમચાવી મુકનારા દ્રશ્ર્યો જોવા મળ્યા હતા, પોલીસે મૃતદેહની કબ્જો લઇ પીએમ માટે મોકલી આપ્યો હતો અને દાહોદ ખાતે મૃતકના પિતાને જાણ કરવામાં આવી હતી.
પોલીસે લાકડી અને છરી જેવા હથીયાર કબ્જે લઇ બંનેની અટકાયત કરી હતી, અને આ મામલે વાડી માલિક બિપીનભાઇ બારૈયા દ્વારા ધ્રોલ પોલીસમાં રાકેશ છગન તડવી અને તેની બહેન બંને સામે આઇપીસી કલમ 302, 114, જીપીએકટ 135(1) મુજબ ફરીયાદ નોંધાવી હતી, આ બનાવે પંથકમાં ભારે અરેરાટી ફેલાવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં અંધશ્રઘ્ધના કારણે મોટા ભાઇ-બહેને સગીર વયની બહેનને માતાજીની ધાર્મિક વિધીના બહાને હત્યા નિપજાવી હતી, એવી પણ વિગત જાણવા મળી છે કે નાની બહેન અપશુકનીયાળ છે, આપણને હેરાન કરશે એવી શંકાના આધારે બંને ભાઇ બહેને વિધીની આડમાં ખુની ખેલ ખેલ્યો હતો.
પોલીસે આ બનાવમાં આરોપી રાકેશની વધુ પુછપરછ હાથ ધરી છે, જયારે આરોપી બહેન સગીર હોવાથી તેને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવી છે, હાલારભરમાં ભારે સનસનાટી મચાવનાર આ ઘટનામાં એવી પણ વિગત તપાસ દરમ્યાન જાણવા મળી છે કે ધાર્મિક વિધીના બહાને નાની બહેનની કરપીણ હત્યા કયર્િ બાદ દિવસભર ઓરડીમાં બંને ધુણતા હતા અને બીજા દિવસે વાડી માલિકને જાણ થતા ભાંડાફોડ થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech