વાંકાનેરમાં જર્જરિત મકાનોના સર્વે બાદ ગેરકાયદેસર દબાણ દૂર કરાયું

  • July 05, 2023 12:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાંકાનેર નગરપાલિકા દ્વારા શહેરના જર્જરીત મકાનો, દુકાનોનો સર્વે હાથ ધરાયો હતો. સર્વેની કામગીરી દરમ્યાન શહેરના ગ્રીન ચોક વિસ્તારમાં આવેલ ગઢની રાંગ ખાતે પાલિકાની જગ્યામાં ચાલી રહેલ ગેરકાયદેસર બાંધકામ ચીફ ઓફીસર ગિરીશભાઈ સરૈયાના ધ્યાન પર આવતા દબાણકર્તા પાલિકા ટીમ તથા પોલીસને સાથે રાખી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 
​​​​​​​
ઉપરાંત જાહેર માર્ગો પર તથા જીનપરા જકાત નાકા પાસે દબાણકર્તા સ્થળ પર જ નોટીસ આપવામાં આવી હતી. આ કામગીરીમાં નગરપાલિકાના ચીફ ઓફીસર ગિરીશ સરૈયા, એન્જીનીયર મહેશભાઈ ચૌહાણ, હેડ કલાર્ક હાર્દિકભાઈ સરૈયા, સેનેટરી ઈન્સ્પેકટર નવિનભાઈ તથા અન્ય સ્ટાફ જોડાયો હતો.  જે દબાણકર્તાઓને નોટીસો ફટકારવામાં આવી છે તેમને દબાણો દૂર કરવા આદેશ આપવામાં આવ્યો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application