ગુજરાતમાં જમીન- મિલકતના દસ્તાવેજની નોંધણીને તબક્કે પક્ષકારો પોતાનું આધારકાર્ડ- યુઆઈડી નંબર અને અંગૂઠાની છાપ આપવા તૈયાર થશે તો સાક્ષીઓની જરૂર પડશે નહી ! મહેસૂલ વિભાગે સિંગલ નોટિફિકેશનથી રજિસ્ટ્રેશન એક્ટ- 1908માં મહત્વનો સુધારો જાહેર કર્યો છે. જેમાં દસ્તાવેજ નોંધણીમાં પક્ષકારોને ઓળખ માટે સાક્ષીઓ રજુ કરવા કે પછી સ્વંય ખરાઈ કરવા બે પ્રકારના વિકલ્પ સાથેની કાર્યિવિધિને સ્પષ્ટ કરવામાં આવી છે. આ માટે આગામી બે સપ્તાહ દરમિયાન પ્રાયોગિક ધોરણે કેટલીક કચેરીઓમાં અમલ કરવામાં આવશે.
મહેસૂલ વિભાગના નાયબ સચિવ પ્રેરક પટેલની સહીથી રજિસ્ટ્રેશન એક્ટ- 1908ની કલમ 69ની પેટા કલમમાં કેટલાક મહત્વના સુધારાઓ સુચવતુ નોટિફિકેશન પ્રસિધ્ધ થયું હતું જેમાં કહેવાયું છે કે, સબ રજિસ્ટ્રાર સમક્ષ દસ્તાવેજ નોંધણી માટે રજુ થાય ત્યારે દસ્તાવેજના પક્ષકારોએ આધારકાર્ડ- અધિકૃત કરવા સંદર્ભે સહમતિ કે અસહમતિ દશર્વિવાની રહેશે. લેખિતમાં થનારી આ પ્રક્રિયામાં જો પક્ષકાર સહમતિ દશર્વિશે તો તેમને પોતાની ઓળખ માટે બે સાક્ષી રજૂ કરવાની અનિવાર્યતા રહેશે નહી.
આવા કિસ્સામાં માત્ર પક્ષકારે સ્ટેમ્પ રજિસ્ટ્રેશનના સોફ્ટવેરમાં કમ્પ્યુટર દ્વારા પોતાના અંગુઠાની છાપથી પોતાની ઓળખ અથર્તિ ખરાઈ કરાવાની રહેશે. પરંતુ, જો પક્ષકાર યુઆઈડી અધિકૃતતા અથર્તિ અંગુઠાની છાપ આપવા અસહમતિ દશર્વિે તો તેવા કિસ્સામાં પક્ષકારને પોતાની ઓળખને અધિકૃત કરવા હાલમાં ચાલી રહેલી પદ્ધતિ મુજબ બે સાક્ષીઓ રજુ કરવાના રહેશે. સરકારના આ નિર્ણયથી સ્ટેમ્પ રજિસ્ટ્રેશન માટેની સબ રજિસ્ટ્રાર કચેરીઓનું ભારણ ઘટશે અને દસ્તાવેજ નોંધણીની ઝડપમાં પણ વધારો થશે.
ટેક્નોલોજીના ઉપયોગથી છેતરપિંડીનું પ્રમાણ ઘટશેગુજરાત રજિસ્ટ્રેશન (આઈડેન્ટી વેરિફિકેશન ફોર ધ રજિસ્ટ્રેશન ઓફ ડોક્યુમેન્ટ) રૂલ્સ- 2023ના અમલથી ખોટી રીતે બીજાનુ નામ ધારણ કરીને થઈ રહેલા દસ્તાવેજનું પ્રમાણ અટકશે. ટેકનોલોજીના ઉપયોગથી છેતરપિંડીવાળા બનાવોનું પ્રમાણ પણ ઘટશે. ગુજરાતમાં પહેલા મહારાષ્ટ્ર અને કણર્ટિકમાં આ પ્રકારે યુઆઈડી, અંગુઠાની છાપથી પક્ષકારના પ્રમાણિતકરણ કરીને દસ્તાવેજ નોંધણી શરૂ કરાઈ છે. જેના માટે ખાસ પ્રકારનું સોફ્ટવેર પણ બનાવાયું છે. યુ આઈ ડી અને અંગુઠાની છાપથી ઓળખના પ્રમાણિતકરણ માટે સોફ્ટવેર તૈયાર કરીને સબ રજિસ્ટ્રાર કચેરીઓ સાથે લીંકઅપ કરાશે. બે- ત્રણ સપ્તાહમાં પ્રાયોગિક ધોરણે કેટલીક કચેરીઓમાં તેનો અમલ કરવાની તૈયારી છે. પક્ષકારોના યુ આઈ ડીની માહિતી ગુપ્ત રહશે’’તેમ નોંધણી સર નિરીક્ષક અને સુપર ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ જૈનુ દેવન જણાવયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech