જો તમે ટ્રેનમાં મુસાફરી દરમિયાન સુઈ જાવ છો તો હવે તમને જગાડશે રેલ્વે જ

  • June 07, 2024 01:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​ટ્રેનમાં મુસાફરી કરતી વખતે લોકોને વારંવાર એક જ ડર લાગે છે કે જો તેઓ ઊંઘી જશે અને સ્ટેશનથી આગળ પહોંચી જશે તો શું થશે…? ઘણી વખત ટ્રેનમાં મુસાફરી કરતી વખતે આપણે ઊંઘી જઈએ છીએ અને ઘણી વખત આપણે આપણી મંઝિલ ચૂકી જઈએ છીએ. પરંતુ ભારતીય રેલવે પાસે મુસાફરોને એલર્ટ કરવા માટે એક ખાસ સુવિધા ઉપલબ્ધ છે.


ભારતીય રેલવેમાં મુસાફરો માટે વેક અપ એલાર્મની સુવિધા છે. જો કોઈ મુસાફર આ સુવિધાનો લાભ લે છે, તો તેને જે સ્ટેશન પર પહોંચવાનું છે ત્યાં પહોંચતા પહેલા એલાર્મ તરીકે કોલ આવશે. આ સેવા માટે એલર્ટ એલાર્મ  કેવી રીતે સેટ કરી શકાય?


કેટલા સમય પહેલા ફોન આવશે?


સ્ટેશન પર પહોંચવાની 15 થી 20 મિનિટ પહેલા કોલ અને SMS આવશે. એલાર્મ સેટ કરવા માટે 139 નંબર ડાયલ કરો અને પછી પસંદગીની ભાષા પસંદ કરો. ભાષા પસંદ કર્યા પછી, મેનુમાં 7 પસંદ કરો અને પછી સ્ટેશન સેટ કરવા માટે નંબર 2 દબાવો. એ પછી 10 અંકનો PNR નંબર આપવો પડશે અને પછી ફાઈનલ કરવા માટે 1 દબાવો.


SMS દ્વારા એલર્ટ સેટ કરો


જો કોલ ડાયલ કરીને એલર્ટ સેટ કરવા માંગતા નથી, તો તમે SMS દ્વારા પણ ખૂબ જ સરળતાથી એલાર્મ એલર્ટ સેટ કરી શકો છો. 139 પર ALERT લખો, સ્પેસ આપો અને PNR નંબર લખો અને મોકલો.


ટ્રેનની ટિકિટ બુક કરતી વખતે, ઘણા પ્લેટફોર્મ પર વેક-અપ એલર્ટનો વિકલ્પ ઉપલબ્ધ છે.જેને ઓન કરી શકો છો. પરંતુ એક વાતનું ધ્યાન રાખો કે કોલ એ જ નંબર પર આવશે જેનો ઉપયોગ ટિકિટ બુક કરાવતી વખતે કર્યો હતો. ભારતીય રેલ્વેની આ સુવિધાનો ઉપયોગ કરીને જો એકવાર એલર્ટ સેટ કરો અને પછી ઊંઘી જાઓ તો ટેન્શન લેવાની જરૂર નથી. રજિસ્ટર્ડ નંબર પર કોલ આવતા જ જાગી જશો અને તૈયાર થઇ શકશો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application