કેજરીવાલ જો જેલમાં બેસીને સરકાર ચલાવી ન શકે તો મુખ્યમંત્રી કોણ?

  • March 22, 2024 12:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિલ્હી સરકાર અને આપ ચીફ અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ સરકાર અને પાર્ટી માટે મુશ્કેલીઓ વધી ગઈ છે. કેજરીવાલ કેબિનેટમાં નંબર ટુનું સ્થાન ધરાવતા મંત્રી આતિશીએ નિશ્ચિતપણે કહ્યું છે કે કેજરીવાલ મુખ્યમંત્રી પદે જળવાઈ રહેશે અને તે જેલમાંથી સરકાર ચલાવશે, પરંતુ આ વાત ફક્ત કહેવામાં સરળ લાગે છે, વાસ્તવિકતામાં એટલું સરળ નહીં હોય. આ વ્યવહારિક પણ લાગતું નથી. સરકારને એક લીડરની જરૂર પડશે, જ્યારે પક્ષને એવા ચહેરાની પણ જરૂર પડશે જે ચૂંટણી સમયે રાષ્ટ્રીય સંયોજકની અછતને અમુક અંશે દૂર કરી શકે.
ગુરુવારે સાંજે ઇડી સીએમ હાઉસ પહોંચતાની સાથે જ પાર્ટીના નેતાઓ અને કાર્યકરોમાં કેજરીવાલની ધરપકડની આશંકા ફેલાઈ ગઈ હતી. આ સાથે કેજરીવાલ પછી કોણ આવશે તે અંગે પણ ચચર્નિો દોર શરૂ થઈ ગયો હતો. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે મુખ્યમંત્રી માટે પહેલું નામ ખુદ કેજરીવાલની પત્ની સુનિતા કેજરીવાલનું હોઈ શકે છે, જ્યારે બીજા ઉમેદવાર તરીકે આતિશીનું નામ સામે આવી રહ્યું છે. સૂત્રો જણાવે છે કે પૂર્વ ભારતીય મહેસૂલ સેવા અધિકારી સુનિતા કેજરીવાલ તેમના પતિ અરવિંદ કેજરીવાલ સાથે સરકારના કામકાજ પર અનૌપચારિક દેખરેખ રાખી ચૂક્યા છે. જ્યારે લગભગ દસ વર્ષથી રાજકીય પરિવારનો ભાગ હોવાને કારણે તેમની રાજકીય સમજ સામે સવાલો ઊઠાવી શકાય નહીં. પાર્ટીના સૂત્રો એ પણ કહે છે કે અરવિંદ કેજરીવાલની ગેરહાજરીમાં પાર્ટી કાર્યકતર્ઓિ સુનીતામાં તેમના નેતાને જુએ છે.

જેલમાંથી સરકાર ચલાવી શકાય?
એવો કોઈ કાયદાકીય નિયમ નથી જે મુખ્યમંત્રી જેલમાંથી સરકાર ચલાવતાં રોકી શકે. છતાં કેજરીવાલ માટે જેલમાંથી સરકાર ચલાવવી લોખંડના ચણા ચાવવા જેવું કામ રહેશે. હકીકતે જ્યારે કોઈ કેદી આવે છે તો તેને ત્યાંની જેલ મેનુઅલ ફોલો કરવું પડે છે. જેલની અંદર બધા કેદીના બધા જ ખાસ અધિકાર ખતમ થઈ જાય છે ભલે કે અંડરટ્રાયલ કેદી હોય કે ન હોય. જોકે મૌલિક અધિકાર બની રહે છે. કેજ્રીવાલને જેલમાં સરકાર ચલાવવાનો સમય ન મળે એવું બને.

આતિશીને કમાન મળશે?

આતિશીને સીએમ બનાવવાને લઈને પાર્ટીની અંદર જોરદાર ચચર્િ ચાલી રહી છે. શિક્ષણ, પીડબલ્યુડી અને નાણા જેવા મહત્વના વિભાગોની સાથે આતિશી દિલ્હી સરકારના સૌથી વધુ 14 વિભાગો ધરાવે છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જેમ તેઓ પણ સરકાર ચલાવવામાં કેજરીવાલને સક્રિયપણે ટેકો આપતા જોવા મળ્યા છે. મુખ્ય વિભાગો સંભાળવાને કારણે તેમની પાસે વધુ અનુભવ છે, તેથી પક્ષના સૂત્રોનું પણ માનવું છે કે સુનીતાના ઇનકારના કિસ્સામાં આતિશીને મુખ્ય પ્રધાન પદ સોંપવામાં આવી શકે છે.

સંદીપ પાઠકનું પણ નામ :

પાર્ટી ક્ધવીનરની ધરપકડ બાદ પાર્ટીને ચલાવવાની જવાબદારી સીધી રાજ્યસભાના સભ્ય અને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ સંદીપ પાઠક પર આવી જશે. તાજેતરમાં રાજ્યસભાના સભ્ય સંજય સિંહ એક્સાઈઝ કૌભાંડમાં જેલમાં ગયા બાદ અને રાજ્યસભાના અન્ય સભ્ય રાઘવ ચઢ્ઢાએ પાર્ટીના કામકાજથી અંતર જાળવ્યું હતું ત્યારે માત્ર સંદીપ પાઠક જ પાર્ટીનું કામ જોઈ રહ્યા હતા. સંગઠનથી લઈને ચૂંટણી સુધી દરેક મામલામાં તેઓ કેજરીવાલના મુખ્ય સહયોગીની ભૂમિકામાં જોવા મળ્યા હતા. આવી સ્થિતિમાં સંદીપ પાઠક કેજરીવાલને સમર્થન આપીને પાર્ટી ચલાવશે તેવું માનવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application