IAS ઓફિસર ટીવી સોમનાથન મોદી સરકારમાં બન્યા કેબિનેટ સેક્રેટરી, રાજીવ ગૌબાનું લેશે સ્થાન

  • August 10, 2024 07:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેબિનેટ સચિવ કેન્દ્ર સરકારે વરિષ્ઠ IAS અધિકારી ટીવી સોમનાથનને નવા કેબિનેટ સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. શનિવારે કેન્દ્રીય કેબિનેટની નિમણૂક સમિતિએ આ સંદર્ભમાં આદેશ જારી કર્યો હતો. આદેશ મુજબ તેમને બે વર્ષના કાર્યકાળ માટે ભારતના કેબિનેટ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમનો કાર્યકાળ 30 ઓગસ્ટથી શરૂ થશે. 


વરિષ્ઠ IAS અધિકારી ટીવી સોમનાથનને શનિવારે રાજીવ ગૌબાના સ્થાને કેબિનેટ સચિવ નિયુક્ત કરવામાં આવ્યા હતા. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, સોમનાથન, તમિલનાડુ કેડરના 1987-બેચના IAS અધિકારી હાલમાં કેન્દ્રીય નાણાં સચિવ અને ખર્ચ સચિવ તરીકે સેવા આપી રહ્યા છે.


તેમની નિમણૂક અંગે જારી કરાયેલા સત્તાવાર આદેશમાં કહેવામાં આવ્યું છે કે કેબિનેટની નિમણૂક સમિતિએ 30 ઓગસ્ટ 2024થી અમલમાં આવતા બે વર્ષના કાર્યકાળ માટે કેબિનેટ સચિવ તરીકે IAS શ્રી ટીવી સોમનાથનની નિમણૂકને મંજૂરી આપી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application