સર્વ જીવોને હુ ખમાવું છું આજે સંવત્સરી–ક્ષમાપના

  • September 07, 2024 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૈન ધર્મના મહાન પર્વ પર્યુષણની આજે પૂર્ણાહત્પતિ થશે. આજે દેરાવાસી સંપ્રદાય દ્રારા સવંતસરી પ્રતિકમણ કરી નાના મોટા સૌને મિચ્છામી દુક્કડમ કહી ક્ષમાપના સાથે ૮૪ લાખ જીવ યોનીને ખમાવી આત્મશુદ્ધિ કરશે, આઠ દિવસથી ચાલી રહેલા આ પર્વના મહાન દિવસો આજે પૂરા થશે.
જૈન સમાજ દ્રારા તપ, ત્યાગ ,આરાધના સાથે પર્યુષણની ઉજવણી કરવામાં આવી હતી આઠ દિવસથી જિનાલયો અને ઉપાશ્રયોમાં ધર્મ આરાધના સાથે શ્રાવકો અને શ્રાવિકાઓએ તપના તોરણો બાંધ્યા હતા. આજે ઉપાશ્રયોમાં આચાર્ય ભગવંતો બારસા સૂત્ર નું વાંચન કરશે. દેરાસરમાં તીથકરોની પૂજા, ચેત્યવંદન બાદ આજે બપોરે આખા વર્ષનું સૌથી મોટું પ્રતિક્રમણ એટલે કે સંવત્સરીનું પ્રતિકમણ કર્યા બાદ એક મેકને અને સર્વ જીવોને તસસ મિચ્છામી દુક્કડમ સાથે ક્ષમાપના પાઠવીને આત્મશુદ્ધિ કરશે.
આ પર્વ દરમિયાન જે તપસ્વી હોય નાની મોટી તપસ્યાઓ કરી હોય તેમના આવતીકાલે સવારે પારણા અને સાંજી ના કાર્યક્રમો યોજાશે, યારે સ્થાનકવાસી જૈન સમાજ આવતીકાલે આ પવિત્ર તહેવાર સવંતસરી મનાવસે. આગામી સાહમાં સ્થાનકવાસી જૈન સમાજના વિવિધ સઘં દ્રારા સઘં જમણ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલથી દિગંબર જૈન સમાજના પર્યુષણ પર્વ શ થશે.
પ્રતિક્રમણ એટલે પરિભ્રમણને પૂર્ણવિરામ.આથી જ આજે તમામ ભાવિકો સવંતસરી અને ક્ષમાપના કરશે. આ વિધિ દરમિયાન દરેક લોકો જગતના સર્વ જીવોને ખમાવી મને ક્ષમા આપજો, વિશ્વના દરેક જીવો સાથે મારે મિત્રતા છે કોઈની સાથે વેરભાવ નથી તેવી ભાવના સાથે પ્રતિકમણ કરી મિચ્છામી દુક્કડમ કરશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application