આજે દરેક વ્યક્તિ પાસે બેંકમાં સેવિંગ એકાઉન્ટ હોય છે. કારણ કે એકાઉન્ટ વગર તમે કોઈપણ પ્રકારનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી શકતા નથી. આ સાથે જ બેંકમાં રાખેલા પૈસાને વધુ સુરક્ષિત માનવામાં આવે છે. પરંતુ તમે સેવિંગ એકાઉન્ટમાં એક નિશ્ચિત રકમ સુધી જ રાખી શકો છો. ચાલો જાણીએ આ અંગે શું નિયમ છે?
દરેક વ્યક્તિ પાસે બેંકમાં સેવિંગ એકાઉન્ટ હોય છે. કારણ કે એકાઉન્ટ વગર તમે કોઈપણ પ્રકારનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી શકતા નથી. આ સાથે જ બેંકમાં રાખેલા પૈસાને વધુ સુરક્ષિત માનવામાં આવે છે.
કોઈ વ્યક્તિ હોય, નાનો બિઝનેસ હોય કે કોઈ પ્રોફેશનલ વ્યક્તિ હોય દરેક વ્યક્તિ પાસે એક અથવા વધુ સેવિંગ એકાઉન્ટ હોય છે. પરંતુ સેવિંગ એકાઉન્ટમાં પણ તમે એક મર્યાદા સુધી જ રોકડ રાખી શકો છો. જો આરબીઆઈ દ્વારા નક્કી કરેલી મર્યાદા કરતાં વધુ રોકડ રાખવામાં આવે છે, તો તમારા પર ભારે દંડ લાગી શકે છે. આ સાથે જ મર્યાદા કરતાં વધુ રકમ રાખવા પર આવકવેરા વિભાગનું જોખમ પણ રહે છે.
સેવિંગ એકાઉન્ટમાં પૈસા જમા કરવાની મર્યાદા શું છે?
ખાતાધારક સેવિંગ ખાતામાં 10 લાખ રૂપિયા સુધી રાખી શકે છે. પરંતુ જો આ મર્યાદા 10 લાખ રૂપિયાથી વધુ થઈ જાય છે. તો તમારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અથવા આવકવેરા વિભાગને સૂચિત કરવું પડશે. આ માહિતી તમારે AIR (Annual Information Return) હેઠળ આપવી પડશે. આનો અર્થ એ નથી કે તમારે ટેક્સ ભરવો પડશે, પરંતુ જો આ રકમ આવક કરતાં વધુ હોય તો તમારે જવાબદાર બનવું પડશે. આ ઉપરાંત કરંટ સેવિંગ એકાઉન્ટમાં આ મર્યાદા 50 લાખ રૂપિયા છે.
ટ્રાન્ઝેક્શનમાં પાન નંબરની જરૂર
જો કોઈ વ્યક્તિ 50 હજાર અથવા તેથી વધુનું ટ્રાન્ઝેક્શન કરે છે, તો તેના માટે પાન નંબર (Permanent Account Number)ની જરૂર પડે છે. અથવા જો ટ્રાન્ઝેક્શનની રકમ એક વર્ષની નિશ્ચિત અવધિને પાર કરી જાય છે, તો પણ પાન નંબરની જરૂર પડે છે.
આવી સ્થિતિમાં પાન કાર્ડની જરૂર એટલા માટે પડે છે જેથી ખાતામાંથી ટ્રાન્ઝેક્શન થયેલી રકમની તપાસ થઈ શકે. જોકે આમાં કોઈ ટેક્સ ભરવાનો રહેશે નહીં, પરંતુ આ રકમ વિશે તમારે ટેક્સ વિભાગને માહિતી આપવી પડશે. તમારે એ પુરાવો આપવો પડશે કે આ રકમ ક્યાંથી જમા થઈ છે અથવા આ પૈસા તમને ક્યાંથી મળ્યા છે. તેથી જો તમારી પાસે સેવિંગ એકાઉન્ટ હોય તો મર્યાદા સુધી જ રોકડ રાખો. આ પૈસાને તમે કોઈ યોજના અથવા એફડીમાં રોકાણ કરીને મોટું ફંડ પણ તૈયાર કરી શકો છો. કેટલાક બેંક તમને સેવિંગ એકાઉન્ટમાંથી ફિક્સ્ડ ડિપોઝિટ એકાઉન્ટમાં બદલવાની સુવિધા પણ આપે છે. આ વિશે વધુ માહિતી તમે તમારી બેંકની વેબસાઇટ પરથી મેળવી શકો છો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંજાબ કિંગ્સનો ઐતિહાસિક વિજય, KKRને માત્ર 95 રનમાં ઓલઆઉટ કરીને 16 રનથી જીત્યું
April 15, 2025 11:02 PMફોર્મ 16થી ITR ફાઇલ કરવાની પ્રક્રિયા બને છે સરળ, અહીં જાણો તમારા કામની વાત
April 15, 2025 07:49 PMIndia's Got Latent Row: સમય રૈના અને રણવીરની મુશ્કેલીઓ વધી, સાયબર સેલમાં ફરી નિવેદન
April 15, 2025 07:45 PMઅમેરિકી ટેરિફના વિરોધમાં ચીનનો મોટો નિર્ણય, બોઇંગ જેટની ડિલિવરી કરી રદ્દ
April 15, 2025 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech